ભારત સરકારે ISROના 100 વૈજ્ઞાનિકો માટે રાજીનામા અને સમયથી પહેલા રિટાયરમેન્ટના નિયમો કડક કર્યા છે. એક સત્તાવાર આદેશમાં ISROના ગ્રુપ A વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમના સભ્યો તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા માટે મોટી સંખ્યામાં અરજીઓ સ્વીકારવામાં આવી છે.

સરકારે નિયમો કર્યા કડક

સરકારે મોટી સંખ્યામાં કર્મચારીઓ રજા માંગી રહ્યા હોવાથી આ નિયમો કડક કરવાનો નિર્ણય લીધો છે. તેના જવાબમાં અવકાશ વિભાગે ISROના મુખ્ય અવકાશ સંશોધન કેન્દ્રોને નવા નિર્દેશો જારી કર્યા છે, જેમાં સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા માટેના નિયમો કડક કરવામાં આવ્યા છે.

નિવૃત્તિની વિનંતીઓ સ્વીકારવા ન કરે

14 જુલાઈના રોજ યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરને જાહેર કરાયેલ મેમોરેન્ડમ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેમને સામાન્ય પ્રક્રિયા હેઠળ ગગનયાન અને અન્ય મહત્વપૂર્ણ મિશનમાં સામેલ ગ્રુપ A વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમના સભ્યો પાસેથી રાજીનામા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિની વિનંતીઓ સ્વીકારવા ન કરે.

ISROના વૈજ્ઞાનિકોએ આપ્યા હતા રાજીનામા

સરકારે આ નિર્દેશ જાહેર કરીને જણાવ્યું છે કે તાજેતરમાં જોવામાં આવ્યું છે કે, પ્રતિષ્ઠિત ગગનયાન અને અન્ય મહત્વપૂર્ણ મિશન અને પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા લોકો સહિત ISROના વૈજ્ઞાનિકો અને ટેકનિકલ સ્ટાફ તરફથી મોટી સંખ્યામાં સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા માટેની વિનંતીઓ મળી છે. આ રાષ્ટ્રીય હિતના પ્રોજેક્ટ્સ પરના કાર્યને ગંભીર અસર કરી રહ્યું છે.
નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગગનયાન અને અન્ય મહત્વપૂર્ણ મિશન/પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને ટેકનિકલ સ્ટાફની આ વિનંતીઓ સામાન્ય પ્રક્રિયા હેઠળ સ્વીકારવામાં આવશે નહીં.