હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં એક ફર્નિચરની દુકાનમાં આગ લાગવાથી 6 લોકો જીવતા બળી ગયા છે. 22 કલાકની બચાવ કામગીરી બાદ પોલીસે ઈમારતના ભોંયરામાંથી પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે. બચાવ ટીમોએ 6 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ભારે ધુમાડાને કારણે અંદર પ્રવેશ કરવો મુશ્કેલી હતો, જેના કારણે મૃતદેહો બહાર કાઢવામાં મુશ્કેલી પડી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ મૃતકોના પરિવારજનો દુ:ખી છે.
ઈમારતનો મોટો ભાગ આગમાં લપેટાઈ ગયો
હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં શનિવારે બપોરે એક 4 માળની ફર્નિચરની દુકાનમાં અચાનક આગ લાગી ગઈ. માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ભોંયરામાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી અને ઝડપથી ઉપર તરફ ફેલાઈ ગઈ. થોડી જ વારમાં ઈમારતનો મોટો ભાગ આગમાં લપેટાઈ ગયો. ઘટના બની ત્યારે ભોંયરામાં 5 લોકો ફસાયા હતા અને બચાવ ટીમો તેમને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી હતી. જોકે, આગ ઓલવવી મુશ્કેલ બની હતી.
22 કલાકમાં બચાવ કાર્ય પૂર્ણ થયું
ફર્નિચરની દુકાનમાં લાકડા ઝડપથી બળી રહ્યા હતા, જેના કારણે આગ ઓલવવાનું મુશ્કેલ બન્યું હતું. લગભગ 6 કલાક પછી, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. તેમ છતાં ટીમ ઈમારતમાં પ્રવેશી શકી ન હતી કારણ કે તે હજુ પણ ધુમાડાથી ભરેલી હતી. 22 કલાકની બચાવ કામગીરી પછી, જ્યારે રવિવારે સવારે પરિસ્થિતિ સામાન્ય થઈ, ત્યારે બચાવ ટીમે પ્રવેશ કર્યો અને ભોંયરામાંથી 5 મૃતદેહો બહાર કાઢ્યા.
બે બાળકો સહિત 5 લોકો જીવતા બળી ગયા
પોલીસે મૃતદેહોનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યા. મૃતકોની ઓળખ બેબી (45), અખિલ (11), પનીત (8), ઇમ્તિયાઝ (28) અને હબીબ (32) તરીકે થઈ છે. હબીબ ફર્નિચરની દુકાનના માલિકનો ડ્રાઈવર હતો. ફાયર ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે ફર્નિચરની સાથે રેક્સિન અને કેટલાક રસાયણો પણ ભોંયરામાં સંગ્રહિત હતા. બિલ્ડિંગના માલિકે બિલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરીને આ સામગ્રી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી હતી.
આ પણ વાંચો : India Us Relation: ભારત સાથે સંબંધો સુધારવા Trump ની પહેલ, ટ્રમ્પ સ્પેશ્યિલ ટીમ મોકલી દિલ્હી