INS અંજદીપ 27 ફેબ્રુઆરીએ ભારતીય નૌકાદળમાં જોડાશે. એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર વેસલ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલા આઠ જહાજોમાંથી તે ત્રીજું જહાજ છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી શુક્રવારે કમિશનિંગ સમારોહમાં હાજરી આપશે.

અંજદીપ એક અત્યાધુનિક જહાજ

કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલ અંજદીપ એક અત્યાધુનિક જહાજ છે. જેને ખાસ કરીને દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ તટીલ અને છીછરા પાણીના વિસ્તારોના તટીય યુદ્ધ વાતાવરણના પડકારોનો સામનો કરવા માટે રચાયેલ છે. તેમ બુધવારે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવાયું છે.

અંજદીપ  જહાંજની શું છે ખાસિયત ?

  • 77-મીટર લાંબુ જહાજ હાઇ-સ્પીડ વોટર-જેટ પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ છે.
  • જે તેને ઝડપથી પ્રતિક્રિયા આપવા અને સતત કાર્ય કરવા સક્ષમ બનાવે છે.
  • તેને 25 નોટની મહત્તમ ગતિ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે.
  • આ જહાજ "ડોલ્ફિન શિકારી" તરીકે કાર્ય કરવા માટે રચાયેલ છે.
  • તેનો પ્રાથમિક હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દુશ્મન સબમરીનને શોધવા, પીછો કરવા અને નિષ્ક્રિય કરવાનો છે.
  •  આ જહાજ સ્વદેશી, અત્યાધુનિક એન્ટિ-સબમરીન યુદ્ધ શસ્ત્રો અને સેન્સર પેકેજોથી સજ્જ છે.
  • જેમાં હલ-માઉન્ટેડ સોનાર અભયનો સમાવેશ થાય છે.
  • તે હળવા વજનના ટોર્પિડો અને એન્ટિ-સબમરીન રોકેટથી સજ્જ છે.

દરિયાકાંઠાનો વિસ્તાર મજબૂત

રિલીઝમાં જણાવાયું છે કે 'અંજદીપ' નામના જહાજને નૌકાદળમાં સામેલ કરવાથી ભારતના વિશાળ સમુદ્રી હિતો અને તટીય તમિલનાડુ અને પુડુચેરી ક્ષેત્રનું રક્ષણ કરવાની નૌકાદળની ક્ષમતા મજબૂત બને છે. તેમાં વધુમાં જણાવાયું છે કે તેની એન્ટિ-સબમરીન યુદ્ધ ભૂમિકા ઉપરાંત, યુદ્ધ જહાજ દરિયાકાંઠાની દેખરેખ, ઓછી-તીવ્રતાવાળા દરિયાઈ કામગીરી અને શોધ અને બચાવ મિશન હાથ ધરવા માટે પણ સજ્જ છે.

  • Follow us on: