વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ મંદિરમાં આ વર્ષે યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરની પવિત્રતા જાળવવા અને ભક્તો માટે શાંતિપૂર્ણ દર્શન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી, વહીવટીતંત્ર અને મંદિર સમિતિ દ્વારા મંદિર પરિસરમાં મોબાઇલ ફોન અને કેમેરા લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધનું કારણ શું ?
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાત લે છે. છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે કેટલાક ભક્તો ભક્તિ કરવાને બદલે રીલ્સ બનાવવા અને ફોટોગ્રાફીમાં વધુ વ્યસ્ત રહે છે. આનાથી મંદિરની ગરિમાને ઠેસ પહોંચે છે અને અન્ય ભક્તોને પણ અસુવિધા થાય છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.













