વિમાન મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકારે હવાઈ મુસાફરીને લઈને એક મહત્વનો નિર્ણય લીધો. જે અંતર્ગત વિમાનમાં પસંદગીની માટે લેવામાં આવતા વધારાની ફીમાંથી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને આદેશ જારી કર્યા. તમામ એરલાઇન્સને તેમની 60 ટકા બેઠકો મફતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે 6 મોટા નિર્ણયો લીધા છે.
સમાન PNR ધરાવતા મુસાફરો એકસાથે
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોના અધિકારોને મજબૂત બનાવવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવા સુધારાથી મુસાફરોને તેમની પસંદગીની સીટ શોધવાનું સરળ બનશે અને બિનજરૂરી ખર્ચ ટાળવામાં આવશે. સરકારે હવાઈ મુસાફરીને સસ્તી, પારદર્શક અને અનુકૂળ બનાવવા માટે આ ફેરફાર લાગુ કર્યો છે. વધુમાં, તેમણે ફરજિયાત બનાવ્યું છે કે સમાન PNR ધરાવતા મુસાફરોને ફ્લાઇટમાં એકસાથે બેસાડવામાં આવે. અર્થાત એક જ બુકિંગ પર મુસાફરી કરતા મુસાફરો એકસાથે બેસી શકશે. જો આ શક્ય ન હોય, તો તેમની બેઠકો એકબીજાની બાજુમાં રાખવી જોઈએ. આ નવા નિયમથી પરિવારના સભ્યો હવે સાથે મુસાફરીનો આનંદ લઈ શકશે. અગાઉ, મુસાફરોને એકસાથે બેસવા માટે વધારાની ફી ચૂકવવી પડતી હતી.












