પશ્ચિમ બંગાળની રાજધાની કલક્તામાં ફરી એક વખત ગેંગરેપની ઘટના બનવા પામી છે. આ વખતે TMCના નેતા મનોજીત મિશ્રા પર ગેંગરેપનો ગુનો નોંધાયો છે. જો કે સવાલ એ છે કે બપોરે કોલેજના બિલ્ડીંગમાં વિદ્યાર્થીનીને લઈ જઈને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો, પરંતું કોઈને ભનક સુધ્ધા થઈ નથી. કસ્બામાં આવેલી લો કેલેજની વાઈસ પ્રિન્સિપાલ નૈના ચેટરજીને આ ઘટના વિસે સવાલ કરવામાં આવ્યા તો તેમણે કહ્યું કે ઘટના સમયે તેઓ કોલેજમાં હાજર નહોતા.
શુક્રવારે જ્યારે કોલેજના ગ્રાઉન્ડમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે વાઈસ પ્રિન્સિપાલ નૈના ચેટર્જીએ જણાવ્યું હતું કે તેઓ ગયા બુધવારે કોલેજમાં હતા, જ્યારે આ ઘટના બની હતી. સાંજે 5 વાગ્યે ડીન સાથે રુમમાં મિટીંગ ચાલી રહી હતી. જો કે તેમને આ ઘટના વિશે કોઈ પ્રકારની જાણ નહોતી. ગુરુવારે પણ તેમને આ વિશે કોઈ જાણકારી મળી નહોતી. 48 કલાક પછી શુક્રવારે સવારે એક સુરક્ષા ગાર્ડે તેમને આ વિશે માહિતી આપી.













