
3 જાન્યુઆરીએ ઓડિશાથી નીકળે દિવ્ય 'કોદંડ' ધનુષ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા પહોંચી ગયું છે. અયોધ્યા ગૌરવશાળી ક્ષણનું સાક્ષી બન્યું. 286 કિલોગ્રામના વજનનું ભગવાન રામનું દિવ્ય ધનુષ 'કોદંડ' રામનગરી પહોંચ્યું. ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતની ધરોહર સમાન આ ધનુષ રામ નગરી પહોંચતા અયોધ્યાની શોભામાં વધારો કર્યો છે. ભગવાન રામના ધનુષ 'કોદંડ'નું જાણો મહત્વ.

22 જાન્યુઆરીનો દિવસ અયોધ્યા વાસીઓ અને ભગવાન રામના ભક્તો માટે ખૂબ જ ખાસ બન્યો. શ્રી રામ જન્મભૂમિ મંદિરના અભિષેકની બીજી વર્ષગાંઠ પર, અયોધ્યાને એક કિંમતી ભેટ મળી. આ ભેટ 286 કિલોગ્રામ વજનનો ભવ્ય કોદંડ છે.

રામ નગરી પહોંચ્યુ ભગવાન રામનું દિવ્ય ધનુષ કોદંડ. શાસ્ત્રો અને પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે કોદંડ ભગવાન રામનું ધનુષ છે, અને ભગવાન શ્રી રામે આ કોદંડ ધનુષનો વનવાસ દરમિયાન અને યુદ્ધમાં ઉપયોગ કર્યો હતો.

પાંચ ધાતુઓથી બનેલો આ ધનુષ્ય ઓડિશાથી ભવ્ય શોભાયાત્રામાં અયોધ્યા પહોંચ્યો. મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે તેને યોગ્ય વિધિઓ સાથે સ્વીકાર્યો. હજારો ભક્તો, સંતો અને ટ્રસ્ટના અધિકારીઓ હાજર હતા. તેની ભવ્યતા અને દિવ્યતાથી દરેક વ્યક્તિ અભિભૂત થઈ ગયા.

આ કોંદડ માત્ર ધનુષ્ય નથી, પરંતુ ભગવાન શ્રી રામની બહાદુરી, ધર્મ અને ગૌરવનું પ્રતીક છે. તે શ્રદ્ધા, ભારતીય કારીગરી, દેશભક્તિ અને મહિલા સશક્તિકરણનું અદ્ભુત મિશ્રણ છે. ઓડિશાના સનાતન જાગરણ મંચે તેને રામ લલ્લાને સમર્પિત કર્યું .

પૌરાણિક કથાઓ અનુસાર 'કોદંડ' ધનુષ વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું, એવી માન્યતા છે કે કોદંડ ધનુષથી છૂટેલું બાણ ક્યારેય નિષ્ફળ જતું નથી, તે લક્ષ્યને વીંધીને જ પાછું ફરે છે.

વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસના રામચરિતમાનસમાં કોદંડનો ઉલ્લેખ છે. ભગવાન રામે આ ધનુષથી જ રાવણનો વધ કર્યો હતો. આ ધનુષ શક્તિ, ન્યાય અને અધર્મ પર ન્યાયના વિજયનું પ્રતીક છે.

ભગવાન રામને કોદંડધારી કહેવામાં આવે છે. 'કોદંડ' શબ્દ બે શબ્દોના મિશ્રણથી બનેલો હોવાનું મનાય છે, જેમાં 'કો' એટલે કે 'વાંસ' અથવા 'વક્ર' (વળેલું) અને 'દંડ' એટલે કે 'લાકડી' અથવા 'શાસન'.

ઓડિશાથી અયોધ્યા લાવવામાં આવેલ 'કોદંડ'ને પહેલા 'કારસેવકપુરમ' ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કાર્યાલયમાં રાખવામાં આવ્યું હતું અને બાદમાં તેને રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું. આ કોદંડ ધનુષને રામલ્લાને ભેટમાં અર્પણ કરાયું.