મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ એક બાદ એક બેઠકો પર મેયર પદ માટેની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વખતે પહેલીવાર મુંબઇના મેયર બીજેપીમાંથી બન્યા છે અને તેઓ મહિલા છે. ત્યારે પુણેમાં પણ બીજેપીના કાઉન્સિલરને જ મેયર પદ સોંપવામાં આવ્યું છે. પુણેના મેયર તરીકે ભાજપના કાઉન્સિલર મંજુષા નાગપુરે બિનહરીફ ચૂંટાયા છે.
કોણ છે મંજુષા નાગપુરે ?
તાજેતરમાં પૂર્ણ થયેલી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા મંજુષા નાગપુરે બિનહરીફ ચૂંટાયા હતા. 15 જાન્યુઆરીએ યોજાયેલી પીએમસીની ચૂંટણીમાં નાગપુરે સિંહગઢ રોડ પરના સનસિટી-માણિકબાગ વોર્ડમાંથી બિનહરીફ ચૂંટાયા હતા. મંજુષા પહેલી વાર 2012માં સિંહગઢ રોડ પરના આનંદનગર વિસ્તારમાંથી કાઉન્સિલર તરીકે પીએમસીમાં ચૂંટાયા હતા અને ત્યારથી તેમણે મ્યુનિસિપલ બોડીમાં ત્રણ ટર્મ સેવા આપી છે.













