આ રાજદ્વારી વાતચીત દરમિયાન, પીએમ મોદીએ તણાવ ઓછો કરવા અને સંવાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સારા મિત્રની ભજવી ભૂમિકા

પીએમ મોદીએ ઓમાન, મલેશિયા અને ફ્રાન્સના નેતાઓ સાથે યુદ્ધની ગંભીર સ્થિતિ વચ્ચે વાતચીત કરી હતી. અને સારા મિત્ર તરીકે ભારતે શાંતિ જાળવી રાખવા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કૂટનીતિ અને વાતચીત કરવા પર ભાર આપ્યો હતો. પીએમ મોદીએ ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે પણ વાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, મારા ભાઈ સુલતાન હૈથમ બિન તારિક સાથે સારી વાતચીત થઈ અને ઓમાનના લોકોને ઈદની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી.

https://twitter.com/narendramodi/status/2034581816267743375

ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ વાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું કે તેમણે તેમના પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને તણાવ ઓછો કરવાની તાત્કાલિક જરૂરિયાત તેમજ સંવાદ અને રાજદ્વારી પરત ફરવા વિશે વાત કરી. તેમણે લખ્યું કે તેઓ પ્રદેશ અને તેનાથી આગળ શાંતિ અને સ્થિરતાને આગળ વધારવા માટે તેમના ગાઢ સંકલન ચાલુ રાખવા માટે આતુર છે.

https://twitter.com/narendramodi/status/2034582485674402105

https://twitter.com/narendramodi/status/2034582175694381417

પીએમ મોદીની મલેશિયાના પ્રધાનમંત્રી સાથે વાતચીત

પીએમ મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે પણ વાત કરી અને તેમને અને મલેશિયાના લોકોને હરિ રયા ઈદિલફિત્રીની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ લખ્યું, "મેં મારા મિત્ર, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે વાત કરી અને આગામી હરિ રાય ઈદિલફિત્રી તહેવાર માટે તેમને અને મલેશિયાના લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. અમે પશ્ચિમ એશિયામાં ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી અને સંવાદ અને રાજદ્વારી દ્વારા તણાવ ઓછો કરવા પુનઃરોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચોઃ ભારતમાં સ્થાનિકો પણ આ સ્થળની મુલાકાત લઈ શકતા નથી, જાણો શું છે કારણ?