પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે એક મોટો વહીવટી ફેરબદલ કરવાની જાહેરાત કરી છે,જેમાં 200થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.આ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની તારીખો જાહેર કરવામાં આવી તેના થોડા જ કલાકો પહેલાં લેવામાં આવ્યો,જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો છે.સરકારના કર્મચારી અને વહીવટી સુધારણા વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ,કુલ 61 IAS અને 145 WBCSઅધિકારીઓની બદલી કરવામાં આવી છે,જે તાજેતરના વર્ષોમાં સૌથી મોટી વહીવટી ફેરબદલ માનવામાં આવે છે.
SIR ની જાહેરાત પહેલા જ 200થી વધુ અધિકારીઓની કરાઇ બદલી
જે મહત્ત્વના જિલ્લાઓમાં DMની બદલી કરવામાં આવી છે તેમાં ઉત્તર 24 પરગણા,દક્ષિણ 24 પરગણા,કૂચ બિહાર,મુર્શિદાબાદ,પુરુલિયા,દાર્જિલિંગ,માલદા,બીરભૂમ,ઝારગ્રામ અને પૂર્વ મેદનીપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.આ જિલ્લાઓ આગામી ચૂંટણી અને વહીવટી દૃષ્ટિકોણથી અત્યંત મહત્ત્વના ગણાય છે.આ બદલીઓની અસર રાજ્યના વહીવટી માળખા પર મોટી થવાની સંભાવના છે.













