મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 18 જૂનના રોજ યોજાનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ત્રીજો ઉમેદવાર ઉતારવામાં આવતા કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે.ક્રોસ વોટિંગ ટાળવા અને પોતાના ધારાસભ્યોને એકજૂથ રાખવાના હેતુથી કોંગ્રેસે તમામ ધારાસભ્યોને ભોપાલથી કર્ણાટક મોકલી દીધા છે.
કોંગ્રેસના ધારાસભ્યે શું કહ્યું
કોંગ્રેસના ધારાસભ્ય વિજય રેવાનાથ ચૌરેએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ધારાસભ્યોના ખરીદ-વેચાણના પ્રયાસો થઈ રહ્યા હોવાથી હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે.નેતા વિપક્ષ ઉમંગ સિંઘારના નિવાસે મળેલી બેઠક બાદ ધારાસભ્યોને બેંગલુરુ રવાના કરાયા હતા.આ બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથ પણ ઓનલાઇન જોડાયા હતા.













