મહારાષ્ટ્રના પુણેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી.  આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી પરંતુ  ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 


મહારાષ્ટ્રના પુણેમાં બીટી કવાડે રોડ પર એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી, અને અગ્નિશામક કામગીરી કરવામાં આવી હતી. 

મંગળવારે પિંપરી ચિંચવડમાં બસોમાં લાગી હતી આગ 

ઉલ્લેખનીય છે કે  મંગળવારે પિંપરી-ચિંચવડના નિગડી વિસ્તારમાં ત્રણ બસોમાં આગ લાગી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બે બસોમાં આગ લાગી હોવાના અહેવાલ હતા, પરંતુ પછીથી પુષ્ટિ મળી કે ત્રીજી બસમાં પણ આગ લાગી હતી. કોઈ ઈજા થઈ નથી, અને પરિસ્થિતિને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી.

ANI સાથે વાત કરતા, ફાયર ઓફિસર ગૌતમ ઇંગવાલેએ જણાવ્યું હતું કે, "સવારે 9:30 વાગ્યે, અમને ખબર પડી કે બે બસોમાં આગ લાગી છે. અમે તાત્કાલિક પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ઓથોરિટીનું વાહન મોકલ્યું. ત્રણ બસોમાં આગ લાગી હતી. એક બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી, અને બે બસોને થોડું નુકસાન થયું હતું. કોઈને ઈજા થઈ નથી. બાકીના નિયંત્રણમાં છે." "આ વાહનો પરવાનગી વિના પાર્ક કરવામાં આવ્યા હતા. બે ફાયર બ્રિગેડ, એક ઓથોરિટીનો અને એક ચીકલીનો, આગને કાબુમાં લેવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા," ઇંગવાલેએ જણાવ્યું હતું.


  • Follow us on: