મુંબઇના મુલુંડમાં મેટ્રો ટ્રેનના પિલરનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. ઓટો રિક્શા સહિત 3-4 લોકો તેની નીચે દટાઇ ગયા હતા જેમાંથી એકનું મોત થયુ છે. રસ્તા પરથી પસાર થઇ રહેલા રિક્શા પર આ પિલરનો ભાગ ધરાશાયી થયો. આ રિક્શામાં 3 થી 4 લોકો સવાર હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દ્રશ્યો જોતા માલુમ થાય છે કે આખી રિક્શાનો તો કચ્ચરઘાણ બોલાઇ ગયો છે. જે જોતા એમ થાય કે કદાય આમા કોઇ બચ્યુ પણ હશે કે નહી. જો કે જાનહાનિને લઇને હાલ કોઇ માહિતી સામે આવી નથી.
ક્યાં બની આ ઘટના
રિક્શા અને કાર બંનેનો અકસ્માત થયો છે. આ ઘટના જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની પાસે બની છે. પ્રાથમિક માહિતી અનુસાર આ સમાચાર 12.20 કલાકે મળ્યા. ઘટનામાં ઓટોમાં સવાર 3-4 લોકો ઇજાગ્રસ્ત હોવાની સંભાવના છે. સૂચના મળતા જ મુંબઇ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રોના કર્મચારીઓ, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર પહોંચી. પોલીસે આસપાસના વિસ્તારને ઘેરીને ટ્રાફિક ડાયવર્ટ કર્યો અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી.
https://www.instagram.com/reel/DUuxLByCX1p/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અકસ્માત પછી LBS રોડ પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક આ વિસ્તારને ઘેરી લીધો હતો અને તેને સુરક્ષિત બનાવ્યો હતો, બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે માટે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળ્યો હતો.
પ્રારંભિક તપાસ સૂચવે છે કે બાંધકામ હેઠળનો થાંભલો નબળો હતો. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ ટેકનિકલ તપાસ પછી જ નક્કી થશે. મેટ્રો પ્રોજેક્ટમાં સામેલ ઇજનેરો અને કોન્ટ્રાક્ટર કંપનીના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે.
અકસ્માતની તપાસ કરાશે
સ્થાનિક વહીવટીતંત્રે ખાતરી આપી છે કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે, અને જો સલામતી ધોરણોનું ઉલ્લંઘન અથવા બેદરકારી જોવા મળશે, તો જવાબદાર એજન્સીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. દરમિયાન, નિર્માણાધીન મેટ્રો પ્રોજેક્ટ્સની સલામતી અંગે લોકોની ચિંતા વધી છે. રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે. કાટમાળ સંપૂર્ણપણે દૂર થયા પછી જ નુકસાન અને અકસ્માતનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
Surya Grahan 2026: શનિની રાશિમાં વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ, મેષ સહિત આ 3 રાશિની ખૂલી જશે કિસ્મત