રામવીર સિંહ ગોલા પોતાની પત્ની રાજેશ ગોલાની સાથે કાઠમાંડુ સ્થિત પશુપતિનાથના મંદિરે દર્શન કરવા સાતમી સપ્ટેમ્બરે ગયા હતા. ભગવાન પશુપતિનાથના દર્શન બાદ દંપતિ કાઠમાંડૂ સ્થિત એક હોટલમાં રોકાયા હતા.


રાત્રિના 11.30 વાગ્યે પ્રદર્શનકારીઓએ લગાવી આગ

રામવીર સિંહ ગોલા (58) પોતાની પત્ની રાજેશ ગોલા (55) સાથે કાઠમંડુ સ્થિત પશુપતિનાથ મંદિરના દર્શન માટે સાત સપ્ટેમ્બરે ગયા હતા. ભગવાન પશુપતિનાથના દર્શન પછી દંપતી કાઠમંડુ સ્થિત હયાત રેસિડેન્સી હોટલની ચોથા માળે રહેવા રોકાયા હતા. રાત્રિના લગભગ સાડા અગિયાર વાગ્યે ઉપદ્રવકારીઓએ હોટેલમાં આગ લગાવી દીધી.લગાવેલી આ આગમાં યુપીની એક મહિલાનુ મોત નીપજ્યુ છે. મહત્વનુ છે કે નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શનને લઇને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેના કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

બચ્યા બાદ ફરી વિખૂટા પડ્યા દંપતિ

મળતી માહિતી પ્રમાણે જ્યારે હોટેલ આગથી ઘેરાઈ ગઇ, ત્યારે દંપતીએ ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. દંપતી બચાવ દળ દ્વારા પાથરેલા ગાદલાઓ પર પડી ગયા. એ જ દરમિયાન ઉપદ્રવકારીઓએ ફરી હુમલો કર્યો. આ હુમલામાં દંપતી એકબીજાથી વિખૂટા પડી ગયા. બુધવારે નેપાળથી રામવીર સિંહના પુત્ર વિશાલને ફોન આવ્યો કે તેમની માતા રાજેશ દેવીની સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગઈ છે. બળવામાં ઘાયલ થયેલા રામવીર સિંહ ગોલા બે દિવસ પછી રાહત કેમ્પમાં મળ્યા હતા. રાજેશ ગોલાનું મૃતદેહ આવતીકાલે સુધી ગાઝિયાબાદ સ્થિત માસ્ટર કોલોની તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે.

  • Follow us on: