સતત 9મા બજેટમાં નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સને ભારતીય ઈક્વિટીમાં સીધું 10 ટકા રોકાણ કરવા છૂટ આપવામાં આવી છે. મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ (MAT) માં પણ છૂટ અપાઈ છે. આને કારણે જે લોકો વિદેશમાં રહે છે તેવા યુવાન NRI લોકો ભારતમાં ઈક્વિટીમાં વધારે રોકાણ કરી શકશે. યુવાનો, વિદ્યાર્થીઓ અને યુવાન પ્રોફેશનલ્સ તેમજ ટેક કર્મચારીઓ અને નાના કરદાતાઓને આને કારણે રાહત મળશે. ટેક્સ પેયર્સ માટે એક નિશ્ચિત રીતે ઓછી આવક કે સંપત્તિનો ખુલાસો કરવામાં આવતા એક વખત 6 મહિના માટે વિદેશી સંપત્તિ પ્રકટીકરણ યોજના શરૂ કરાશે. આ યોજનાં ટેક્સ પેયર્સની બે શ્રોણી માટે લાગૂ કરાશે જેમાં એવા લોકોને સામેલ કરાશે કે જેમણે તેમની વિદેશી આવક કે સંપત્તિનો ખુલાસો કર્યો નહીં હોય. જેમણે વિદેશી આવક કે ચૂકવેલો ટેક્સ જાહેર કર્યો છે પણ મેળવેલી સંપત્તિની જાહેરાત નથી કરી તેમને આ યોજના લાગૂ પડશે.


પહેલી કેટેગરીમાં જાહેર ન કરેલી આવકની મર્યાદા રૂ. 1 કરોડ

પહેલી કેટેગરીમાં જાહેર નહીં કરેલી આવકની મર્યાદા કે સંપત્તિની મર્યાદા રૂ. 1 કરોડ રાખવામાં આવી છે. તેમણે સંપત્તિની માર્કેટ વેલ્યૂનાં 30 ટકા કે જાહેર નહીં કરેલી આવકનાં 30 ટકા ટેક્સ તરીકે અને દંડને બદલે વધારાની આવકના રૂપમાં 30 ટકા રકમ ચૂકવવી પડશે. જેથી તેમને ચૂકવણીમાં છૂટ મળશે. બીજા કેટેગરીમાં આવક અને સંપત્તિની મર્યાદા 5 કરોડ રાખવામાં આવી છે જેમાં 1 લાખની ફી ચૂકવવાથી દંડ અને પ્રોસિક્યુશનમાંથી છૂટ અપાશે.

વ્યક્તિગત PROI માટે રોકાણ મર્યાદા વધારીને 10 ટકા કરાઈ

ભારતની બહાર રહેતા PROI ને પણ પોર્ટફોલિયો રોકાણ કરવા તેમજ ભારતીય કંપનીઓની ઈક્વિટીમાં રોકાણ કરવાની છૂટ અપાશે. વ્યક્તિગત PROI માટે રોકાણ મર્યાદા 5 ટકાથી વધારીને 10 ટકા કરાઈ છે. કુલ રોકાણ મર્યાદા 10 ટકાથી વધારીને 24 ટકા કરવામાં આવી છે.

આવા જ વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: