સંસદમાં જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા શરૂ થાય છે તો દરેક શબ્દનું વજન વધી જાય છે પણ સોમવારે બજેટ સત્ર દરમિયાન એક પુસ્તકનો ઉલ્લેખ એવો વિવાદ બન્યો કે ગૃહમાં હંગામો મચી ગયો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જેવું જ પુસ્તકને વાંચવાનું શરૂ કર્યું, સત્તા પક્ષ ભડકી ઉઠ્યો. ત્યારે જાણો કે રાહુલ ગાંધીએ કયા પુસ્તકનો ઉલ્લેખ કર્યો, જેની પર સંસદમાં હંગામો મચી ગયો.

ચીનની કથિત ઘુસણખોરીનો મુદ્દો

સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિ દ્વૌપદ્રી મુર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલા ગાંધીએ ગૃહને સંબોધિત કર્યું. પોતાના ભાષણમાં તેમને રાષ્ટ્રીય સુરક્ષા અને ચીનની કથિત ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ ડોકલામ વિવાદનો ઉલ્લેખ કરતા કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉભા કર્યા.

કયા પુસ્તકનો કરાયો ઉલ્લેખ?

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવણેની પુસ્તકનો ઉલ્લેખ કર્યો. તેમને કહ્યું કે તે જનરલ નરવણેના સંસ્મરણોના કેટલા ભાગ વાંચી રહ્યા છે. રાહુલ ગાંધીનો દાવો હતો કે આ પુસ્તકમાં ડોકલામને લઈ મહત્વની વાતો લખવામાં આવી છે. જેનાથી સમજી શકાય છે કે તે સમયે જમીન પર સ્થિતિ કેટલી ગંભીર હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ડોકલામ વિવાદ દરમિયાન ચીની ટેન્ક ભારતીય સરહદની ખુબ જ નજીક આવી ગઈ હતી. તેમને કહ્યું કે આ વાત તે સમયે પુસ્તકમાં લખી છે, જેનો તે હવાલો આપી રહ્યા છે. તે વાત પર ભાજપ સાંસદોએ કડક વિરોધ વ્યક્ત કર્યો.

અમિત શાહે કર્યો પલટવાર

ગૃહપ્રધાન અમિત શાહે પણ આ મુદ્દા પર હસ્તક્ષેપ કર્યો, તેમને કહ્યું કે રાહુલ ગાંધી જે આધાર પર પોતાની વાત મુકી રહ્યા છે. તે કોઈ મેગઝીનનો રિપોર્ટ હોય શકે છે. અમિત શાહે કહ્યું કે મેગઝીનમાં કંઈ પણ લખવામાં આવી શકે છે પણ તેનો મતલબ એ નથી કે તે સત્ય હોય. તેમને એ પણ કહ્યું કે જનરલ નરવણેએ સાર્વજનિક રીતે આવું કોઈ નિવેદન આપ્યું નથી.  

આ પણ વાંચો : Budget Session: રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં હોબાળો, સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત