વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે મુંબઈની મુલાકાત દરમિયાન વિકાસ પ્રોજેક્ટ્સ (Development Projects)ના ઉદ્ઘાટન સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો (Sharp Attacks) કર્યા હતા. તેમણે ૧૭ વર્ષ પહેલાં થયેલા2008ના મુંબઈ આતંકવાદી હુમલા (2008 Mumbai Terror Attack)નો ઉલ્લેખ કરીને તત્કાલીન સરકારની નીતિઓની ટીકા કરી. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓએ ભારતની આર્થિક રાજધાની  મુંબઈને હુમલા માટે પસંદ કર્યું, પરંતુ તે સમયે સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારે નબળાઈનો સંદેશ (Message of Weakness) આપ્યો અને આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી (Surrendered). વડા પ્રધાને વધુમાં કહ્યું કે, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના ખુલાસા (Senior Leader's Revelation) મુજબ, મુંબઈ હુમલા પછી ભારતીય દળો પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર (Ready to Attack Pakistan) હતા, પરંતુ કોંગ્રેસ સરકારે બીજા દેશના દબાણ (Under Foreign Pressure) હેઠળ દેશના દળોને હુમલો કરતા અટકાવ્યા. પીએમ મોદી (PM Modi) એ આ મુદ્દાને ભારપૂર્વક રજૂ કર્યો.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

પીએમ મોદીએ કોંગ્રેસ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે વિદેશી દબાણ હેઠળ કોણે આ નિર્ણય લીધો અને મુંબઈ તથા દેશની ભાવનાઓ સાથે રમત રમી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આપણા માટે, દેશ અને આપણા નાગરિકોની સુરક્ષા કરતાં વધુ મહત્વનું કંઈ નથી." વડા પ્રધાને આજના ભારતની નીતિ સમજાવતા કહ્યું કે, "આજનો ભારત મજબૂત પ્રતિક્રિયા આપે છે, તે ઘરોમાં ઘૂસીને મારે છે." તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને કહ્યું કે દુનિયાએ આ ઓપરેશન દરમિયાન ભારતની તાકાત જોઈ છે.

વડાપ્રધાને મુંબઇમાં એરપોર્ટનું કર્યું ઉદ્વાટન

આ રાજકીય સંબોધન પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈની કનેક્ટિવિટીને વેગ આપતા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન પછીના પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, "આજે, મુંબઈની લાંબી રાહ પૂરી થઈ છે. મુંબઈને હવે બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે." તેમણે ભાર મૂક્યો કે આ એરપોર્ટ આ ક્ષેત્રને એશિયાના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે તેના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, આ નવું એરપોર્ટ મહારાષ્ટ્રના ખેડૂતોને યુરોપ અને પશ્ચિમ એશિયાના સુપરમાર્કેટ સાથે પણ જોડી શકશે, જેનાથી પ્રદેશના વેપાર અને પર્યટનને નવો વેગ મળશે.દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ પણ કેન્દ્ર સરકારની વિદેશ નીતિની ટીકા કરી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સરકારને તીખા પ્રશ્નો પૂછતાં જણાવ્યું હતું કે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જારી કરાયેલ નવીનતમ સૂચનામાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, તુર્કી અને ઇઝરાયલ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. બંને યુએસ સૂચનાઓની નકલો શેર કરતા, કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે રાજદ્વારી વાતાવરણ કેટલી ઝડપથી બદલાય છે અને રાજદ્વારી મુશ્કેલીઓ કેટલી ઝડપથી વધે છે, જે ભારતની વિદેશ નીતિની નિષ્ફળતાનો સંકેત આપે છે.


  • Follow us on: