37 રાજ્ય સભાના સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. ત્યારે પીએમ મોદીએ રાજ્યસભામાં વિદાય સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે નવા સાંસદોએ જૂના સાંસદો પાસેથી હંમેશા શીખવું જોઇએ.  રાજનીતિમાં ફુલસ્ટોપ હોતું નથી. સદનમાં દરેક સાંસદનું યોગદાન હોય છે. પીએમ મોદીએ પૂર્વ પીએમ દેવગૌડાની પ્રશંસા કરી. તેમજ શરદ પવાર અને મલ્લિકાર્જુન ખડગેની પણ પ્રશંસા કરી.  તેમણે કહ્યું કે આ બધાની અડધી ઉંમર સંસદીય કાર્યપ્રણાલીમાં ગઇ છે. 


રાજકારણમાં કોઇ પૂર્ણ વિરામ હોતું નથી- પીએમ મોદી 

રાજ્યસભામાં બોલતા પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે  ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય છે, અને દરેક સભ્ય તેમાં એક અનોખી ભૂમિકા ભજવે છે. આવી ક્ષણોમાં, પક્ષની રેખાઓથી ઉપર ઉઠીને, આદરની સામાન્ય ભાવના ઉત્પન્ન થાય છે. જે નેતાઓ તેમના કાર્યકાળના અંત પછી ગૃહ છોડી રહ્યા છે, તેમને હું કહેવા માંગુ છું કે રાજકારણમાં કોઈ પૂર્ણવિરામ નથી..


મલ્લિકાર્જુન ખડગે કહે છે: રાજકારણમાં રહેલા લોકો ક્યારેય નિવૃત્ત થતા નથી

રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ પછી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજકારણમાં, કોઈ ક્યારેય "થાકેલું" કે "નિવૃત્ત" થતું નથી. જે ​​લોકો રાજકારણમાં સામેલ છે તેઓ ક્યારેય નિવૃત્ત થતા નથી. જે ​​લોકો ગયા છે તેમાંથી ઘણા આખરે પાછા આવશે.


આ પણ વાંચોઃ ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?


  • Follow us on: