દિલ્હીમાં ગઇ કાલે થયેલાં બોમ્બ વિસ્ફોટને લઇને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે દિલ્હી બ્લાસ્ટની ઘટના ખૂબ જ દુખદ છે. દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે, ષડયંત્ર કરનારાંઓને છોડવામાં નહીં આવે
દિલ્હી વિસ્ફોટ અંગે ભૂટાનમાં બોલ્યા વડાપ્રધાન મોદી
ભૂટાનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના વિસ્ફોટની ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું, તેમણે કહ્યું કે “દિલ્હી બ્લાસ્ટે દરેકને વ્યથિત કર્યા છે।.આખો દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે અને જે લોકો આ વિસ્ફોટ પાછળ છે, તેમને છોડવામાં નહીં આવે. તપાસ એજન્સીઓ આ ઘટનાની પૂરી રીતે તપાસ કરશે” પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ રાતભર તપાસ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા.










