તેજ પ્રતાપ યાદવે કહ્યુ હતુ કે, પવન સિંહ લખનઉમાં તેમના પગે લાગ્યા હતા. અને હવે અહીં તેઓ ઉપેન્દ્ર કુશવાહાના પગે લાગ્યા હતા. પવન સિંહનો બુદ્ધી-વિવેક યોગ્ય રીતે કામ નથી કરી રહ્યો.

તેજ પ્રતાપ યાદવના કટાક્ષ

ઉપેન્દ્ર કુશવાહાના પગે લાગવા અને પવન સિંહ સાથેની તેમની મુલાકાત અંગે તેજ પ્રતાપ યાદવે હુમલા કર્યા હતા. તેઓ પવન સિંહ પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, તેઓ કલાકાર છે. તેઓએ કલાકારી કરવી જોઇએ. તેઓ કઇ બેઠકથી ચૂંટણી લડશે. દિલ્હીમાં પવન સિંહે ઉપેન્દ્ર કુશવાહા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પવન સિંહે ઉપેન્દ્ર કુશવાહાના ચરણ સ્પર્શ કર્યા હતા. આ મામલે તેજ પ્રતાપે કહ્યુ હતુ કે, તેઓ ન જાણે કેટલાય લોકોના પગે લાગ્યા હશે.

પવન સિંહ મામલે પ્રતિક્રિયા

બિહાર પ્રભારી વિનોદ તાવડેએ કહ્યુ હતુ કે, પવન સિંહ ભાજપમાં હતા. ભાજપમાં છે. અને ભાજપમાં રહેશે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેઓ પ્રચાર-પ્રસાર કરશે. પવન સિંહ આ વર્ષે આરા બેઠકથી ચૂંટણી લડી શકે છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં પવન સિંહના અપક્ષ ચૂંટણી લડવા મામલે એનડીએને કેટલીક બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. ભોજપુરી ગાયક 2024માં પશ્ચિમ બંગાળના આસનસોલ ચૂંટણી લડવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પવન સિંહની લોકપ્રિયતા એનડીએ માટે ફાયદાકારક

પવન સિંહનું નામ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જાતિ આધારિત વોટ બેન્ક માટે ઘણુ મહત્ત્વનું છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પવન સિંહને પસંદ કરનાર વર્ગ અને તેમની લોકપ્રિયતા એનડીએને ફાયદો પહોંચાડી શકે છે. તેવામાં ચૂંટણી જીતવા માટે પુરતો દમ લગાવવામાં આવી રહ્યો છે. આ વખતની બિહાર વિધાનસભા ચૂંટણી શરૂઆતથી જ ઘણી રસપ્રદ બની રહી છે. 

  • Follow us on: