છેલ્લા ત્રણ મહિનામાં બે અફઘાની મંત્રીઓ ભારતની મુલાકાતે આવી ચુક્યા છે અને હવે ત્રીજા અફઘાની મંત્રીની મુલાકાત માટે તૈયારી હાથ ધરાઇ છે.

રાજનૈતિક પ્રવાસનો સિલસિલો

અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી મૌલવી નૂર જલાલ જલાલી ભારત પ્રવાસે છે. તેઓ દિલ્હી પહોંચ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજા અફઘાની મંત્રી છે. આ રાજનૈતિક પ્રવાસના કારણે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે વધતી કૂટનીતિ અને વ્યવ્હાર સહભાગમાં જોવામાં આવી રહ્યા છે. તાલિબાનના સત્તા પર આવ્યા બાદ આ સિલસિલો યથાવત્ છે. અને તે સંકેત આપે છે કે, બન્ને પક્ષ સ્વાસ્થ્ય, માનવીય સહાયતા, વેપાર સહયોગમાં સંપર્કની દિશા મજબૂત બનાવી રહ્યા છે.

અગાઉ કયા અફઘાની મંત્રીઓ આવ્યા ભારત ?

સ્વાસ્થ્ય મંત્રી અગાઉ ત્રણ મહિનામાં બે વરિષ્ઠ અફઘાની મંત્રી ભારત આવી ચુક્યા છે. ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનના વિદેશી મંત્રી આમિર ખાન મુત્તકીએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ તાલિબાન શાસન બાદ કોઇ વરિષ્ઠ અફઘાની નેતાની ભારત યાત્રા મહત્ત્વની માનવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્ર માટે આ બેઠકમાં ચર્ચા હાથ ધરાશે. નવેમ્બરમાં અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી હાજી નૂરુદ્દીન અજીજી દિલ્હી આવ્યા હતા. ચર્ચાનો મુખ્ય હેતુ વેપાર, આપૂર્તિ શ્રંખલા, એયર કાર્ગો સેવાઓ અને આર્થિક સંપર્કને સરળ બનાવવા પર ભાર મુકાયો હતો.

ભારત-અફઘાનિસ્તાન સંબંધોનું મહત્ત્વ

ભારતે સ્પષ્ટ કર્યુ છે કે, તેની નીતિ અફઘાન જનતા કેન્દ્રીત છે. ભારત-અફઘાનિસ્તાન મામલે કોઇ પણ રાજનૈતિક માન્યતાના સવાલથી અલગ માનવીય સહાયતા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને પ્રાથમિક જરુરિયાત પર ધ્યાન કેન્દ્રીત કરશે. ભારત-અફઘાનિસ્તાન સંબંધોનો પાયો પહેલાથી જ વિકાસની ભાગીદારી પર છે. જેમાં રસ્તાઓ પુલ, હૉસ્પિટલ અને શિક્ષણ સંસ્થાન સામેલ છે. વર્તમાન વર્ષોમાં આ સહયોગ માનવીય જરુરતો સુધી સીમિત રાખવામાં આવ્યુ છે.

સ્વાસ્થ્ય મંત્રીના પ્રવાસનું મહત્ત્વ

અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીનું ભારત એવા સમયે આવવાનું થઇ રહ્યુ છે જ્યારે અફઘાનિસ્તાન પોતાને સ્વાસ્થ્ય વ્યવસ્થાના ગંભીર પડકારો ઝીલી રહ્યુ છે. આ પ્રવાસ દરમિયાન ચિકિત્સા સહાયતા, દવાઓની ઉપલબ્ધતા અને સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા પર વધુ ભાર મુકવામાં આવશે.

આ પણ વાંચોઃ Australia Bondi Beach Firing: આતંકી હુમલામાં જીવ ગુમાવનાર બોરિસ અને સોફિયાની બહાદુરીની કહાની, જાણો કેવી રીતે લડ્યા આતંકીઓ સામે?