2026ની બીએમસી ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન લગભગ નક્કી થઈ ગયું છે. સૂત્રોએ સંકેત આપ્યો હતો કે ઠાકરે ભાઈઓ 24 ડિસેમ્બ બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમના ગઠબંધનની જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) હવે આ ગઠબંધન પર બ્રેક લગાવવાની વાત કરી રહી છે જેનાથી વિપક્ષી ગઠબંધનમાં રાજકીય તણાવ વધી રહ્યો છે.
MNS એ કહ્યું છે કે જ્યાં સુધી સીટ-વહેંચણી વાટાઘાટોને અંતિમ સ્વરૂપ ન મળે અને બંને પક્ષો અંતિમ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી ગઠબંધનની જાહેરાત ન કરવી જોઈએ.













