મધ્ય પ્રદેશના ઈન્દોરના બિઝનેસમેન રઘુવંશી મર્ડર કેસને ઉકેલવાનો મેઘાલય પોલીસે દાવો કર્યો છે. પોલીસનું કહેવું છે કે આ હત્યાકાંડનું માસ્ટરમાઈન્ડ કોઈ બીજું નહીં પરંતુ રાજાની પત્ની સોનમ રઘુવંશી છે.
તેને તેના પ્રેમી રાજ કુશવાહા અને ચાર કોન્ટ્રાક્ટ કિલર્સની મદદથી આ કાવતરાને અંજામ આપ્યો છે. પોલીસ ટીમ તમામ આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શિલોંગ લઈ જઈ રહી છે, જ્યાં તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે. મેઘાલય પોલીસે સમગ્ર ઓપરેશનને 'ઓપરેશન હનીમૂન' નામ આપ્યું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 'ઓપરેશન હનીમૂન' હેઠળ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે રચાયેલી SITમાં 120 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આમાં ઘણા SP અને DSP રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમોનું નેતૃત્વ ઈસ્ટ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક વિવેક સિયમ અને SP (સિટી) હર્બર્ટ પિનિયાદ ખારકોંગોર કરી રહ્યા છે. આ તપાસમાં NDRF, SDRF જેંટિયા હિલ્સ માઉન્ટેનિયરિંગ ક્લબ અને સ્નિફર ડોગ્સની ટીમો પણ સામેલ છે.
કેવી રીતે થઈ 'રાજા'ની ઓળખ?
રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગ્ન 11 મેના રોજ થયા હતા. ત્યારબાદ સોનમએ બનાવેલી પ્લાન મુજબ બંને હનીમૂન માટે મેઘાલય પહોંચ્યા. 23 મેના રોજ બંને અચાનક ગુમ થઈ ગયા. 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ સોહરા (ચેરાપુંજી) માં વિસાવાડોંગ ધોધ નજીક એક ઊંડી ખાડીમાંથી મળી આવ્યો. મૃતદેહની સ્થિતિ અને પાસેથી મળેલા લોહીથી ખરડાયેલા દાઓ (ચપ્પુ) અને રેઈનકોટથી હત્યાની પુષ્ટિ થઈ. રાજાના જમણા હાથ પરના 'રાજા' ટેટૂ અને કાંડા પરના વોટરપ્રૂફ સ્માર્ટવોચથી મૃતદેહની ઓળખ થઈ.
ડેડ બોડી પાસે એક મહિલાનો સફેદ શર્ટ, પેન્ટ્રા 40 દવાની પટ્ટી, તૂટેલો મોબાઈલ ફોન, સ્માર્ટવોચ સાથે નવું તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે રાજા રઘુવંશીની હત્યા પૂર્વ ખાસી હિલ્સમાં વૃક્ષો કાપવા માટે ઉપયોગમાં લેવાતા તીક્ષ્ણ હથિયારથી કરવામાં આવી હતી. પોલીસે હત્યાની આ બ્લાઈન્ડ કેસની તપાસ લૂંટના સિદ્ધાંતથી શરૂ કરી. પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. રાજાની કોલ ડિટેલ્સ તપાસવામાં આવી હતી, પરંતુ તેમાં પણ કોઈ સુરાગ મળ્યો ન હતો.
પોલીસે કેવી રીતે ઉકેલ્યો કેસ?
ત્યારબાદ પોલીસે રાજાની પત્ની સોનમની કોલ ડિટેલ્સની તપાસ શરૂ કરતાં જ શંકાની સોય તેના તરફ વળી. પરંતુ રાજાના પરિવારને સોનમ પર સહેજ પણ શંકા ન હતી. તેમના પરિવારને સોનમ પર પૂરો વિશ્વાસ હતો. પરંતુ સોનમની કોલ ડિટેલ્સે પોલીસને એટલી મહત્વપૂર્ણ કડીઓ આપી કે આખો કેસ ઉકેલાઈ ગયો. પોલીસને ખબર પડી કે સોનમ સતત ઈન્દોરના રાજ કુશવાહાના નંબર પર વાત કરી રહી હતી. મેઘાલય પોલીસનો દાવો છે કે સોનમ અને રાજ વચ્ચે અફેર ચાલી રહ્યું હતું.
સોનમે તેના પરિવારની મરજીથી રાજા રઘુવંશી સાથે લગ્ન કર્યા, પરંતુ તેનું દિલ રાજ કુશવાહા નામના છોકરા માટે ધડકતું હતું. લગ્ન પછી તરત જ સોનમે રાજાને રસ્તામાંથી દૂર કરવા કાવતરું ઘડવાનું શરૂ કર્યું. 21 મેના રોજ, બધા આરોપીઓ ગુવાહાટી આવ્યા. આ પછી સોનમની પાછળ 22 મેએ શિલોંગ આવ્યા. 23 મેના રોજ તેમને ઘટનાનો પ્લાન બનાવ્યો. આ પછી સોનમ 23 મેના રોજ ગુવાહાટીથી ટ્રેન દ્વારા ઈન્દોર જવા રવાના થઈ. તે 25 મેના રોજ ઈન્દોર પહોંચી અને ત્યાં રાજને મળી.
રાજ કુશવાહાએ તેને ઈન્દોરમાં એક દિવસ માટે ભાડાના રૂમમાં રોકાણ કર્યું, પછી એક ડ્રાઈવરે તેને ઉત્તર પ્રદેશના વારાણસીમાં છોડી દીધી. હત્યા પછી સોનમ અને રાજ સતત એકબીજા સાથે વાત કરતા હતા. સોનમ અને રાજે શિલોંગ આવ્યા પછી પોતાનો કોઈ ફોટો લીધો ન હતો કે અપલોડ પણ કર્યો ન હતો. પરંતુ હત્યા પછી સોનમે રાજાના એકાઉન્ટમાંથી પોસ્ટ કરી હતી જેના કારણે તે શંકાના ઘેરામાં આવી ગયો હતો. બપોરે 2.15 વાગ્યે હત્યા પછી, તેને સોશિયલ મીડિયા પર લખ્યું, "સાત જન્મોં કા સાથ હૈ".
મેઘાલય પોલીસે અલગ અલગ જગ્યાએથી આરોપીઓની કરી ધરપકડ
મેઘાલય પોલીસને 3 અને 4 જૂનના રોજ ખબર પડી કે સોનમ હત્યામાં સામેલ છે. આકાશનો શર્ટ લોહીથી લથપથ ગુનાના સ્થળે મળી આવ્યો હતો. સોનમે આકાશને પોતાનો રેઈનકોટ આપ્યો હતો, જે ગુનાના સ્થળથી 6 કિમી દૂર મળી આવ્યો હતો. આ તપાસને ખોટી દિશામાં લઈ જવા માટે કરવામાં આવ્યું હતું. આનંદ જ્યારે પકડાયો ત્યારે તેને એ જ કપડાં પહેર્યા હતા જે તેને ઘટના સમયે પહેર્યા હતા. હત્યા પછી બધા 11 કિમી દૂર મળ્યા. આના એક દિવસ પછી ગુવાહાટીમાં રહ્યા પછી બધા અલગ થઈ ગયા.
મેઘાલય પોલીસે સોનમના પ્રેમી રાજ કુશવાહાની ઈન્દોરથી ધરપકડ કરી હતી. હત્યાના કાવતરામાં સામેલ વિશાલ ઉર્ફે વિક્કી ઠાકુરને ઈન્દોરથી પકડવામાં આવ્યો હતો, જ્યારે આકાશ રાજપૂતની યુપીના લલિતપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને આનંદને મધ્યપ્રદેશના બીનાથી પકડવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે આરોપીની ધરપકડ થયા પછી જ સોનમે ગાઝીપુરમાં આત્મસમર્પણનું નાટક કર્યું હતું, કારણ કે તે જાણતી હતી કે કાયદાના લાંબા હાથ કોઈપણ ક્ષણે તેના સુધી પહોંચી શકે છે. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કાવતરું ખુલ્લું પડી ગયું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ અને અત્યાર સુધીની સ્ટોરી સોનમની બેવફાઈ અને હત્યાના કાવતરાની આજુબાજુ ફરી રહી છે. પરંતુ પોલીસ હજુ સુધી પોતાના સિદ્ધાંતની પુષ્ટિ કરવા માટે ઘણા પ્રશ્નોના જવાબ આપવાના બાકી છે.
- સોનમ શિલોંગથી ગાઝીપુર કેવી રીતે પહોંચી?
- સોનમે પોલીસનો સામનો કરવાનું જોખમ કેમ લીધું?
- વિશાલ, આકાશ અને આનંદ શિલોંગથી કેવી રીતે પરત ફર્યા?
- શિલોંગથી સોનમ પણ આરોપી સાથે પાછી આવી હતી?
- રાજા રઘુવંશીની હત્યાનો સોદો કેટલામાં થયો હતો?
- ભાડે રાખેલા હત્યારાઓને કોણે પૈસા આપ્યા?
- રાજે ઈન્દોરમાં બેસીને હત્યારાઓ સાથે કોઈ સોદો કર્યો હતો?













