અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં આવેલા દાનની ચોરી મામલે સવાલો ઉઠતા હવે મંદિર ટ્રસ્તે SIT તપાસની માગ કરી છે. સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી નેતાઓએ દાનપેટીઓની ગણતરી અને પ્રસાદની ગણતરીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. મંદિરમાંથી કરોડો રૂપિયાના ગેરરીતિના આરોપો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે મંદિર ટ્રસ્ટે સીએમ યોગી પાસે SIT તપાસની માગ કરી છે.
દાનમાં આપેલા પૈસાની કથિત ચોરીનો આરોપ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં ભક્તો દ્વારા દાનમાં આપેલા પૈસાની કથિત ચોરી અંગે એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલો ઝડપથી વકર્યો કે રામ મંદિર ટ્રસ્ટ પોતે જ દખલગીરી કરી ચૂક્યું છે. ટ્રસ્ટે સીધા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી છે કે સમગ્ર મામલાની તપાસ ખાસ તપાસ ટીમ (SIT) દ્વારા કરવામાં આવે.













