રામમંદિરની આજે પ્રતિષ્ઠા દ્વાદશી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલા આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી. આ અવસર પર વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલાનો અભિષેક કરવામાં આવ્યો છે. આ સાથે જ યજ્ઞ, હવન અને પૂજાની પરંપરાગત પૂજા વિધિ કરવામાં આવી રહી છે.


અન્નપૂર્ણા મંદિરમાં કર્યુ ધ્વજારોહણ 

આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને યુપી સીએમ રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ હનુમાન ગઢીમાં દર્શન પૂજન કર્યા બાદ રામમંદિર પહોંચ્યા હતા.  ત્યારબાદ, તેઓએ રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય મંદિરની મુલાકાત લીધી. પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ નિમિત્તે પૂજામાં ભાગ લેતા પહેલા, સંરક્ષણ પ્રધાને રામ લલ્લાની આરતી કરી..ત્યારબાદ અન્નપૂર્ણા મંદિરમાં ધ્વજારોહણ કર્યું.

 

રામલલાની કરી પૂજા 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના બહાર નીકળવાના દ્વાર અંગદ ટીલા ખાતે જનતાને પણ સંબોધિત કરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતિષ્ઠા દ્વાદશી અને રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ નિમિત્તે રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની પૂજા કરી.

રામ લલાના અભિષેકની બીજી વર્ષગાંઠ પર, ઉત્તર પ્રદેશના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 500 વર્ષના સંઘર્ષનું પરિણામ છે. તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા તેમણે કહ્યું કે આવા પ્રસંગને ખૂબ જ આનંદ અને ઉજવણી સાથે ઉજવવો જોઈએ.


આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ

  • Follow us on: