રેલવેના રિટાયર થયેલા કર્મચારીઓને વધુ એક તક આપવાનો નિર્ણય લેવાયો છે. હવે રેલવેમાં જે નોનો ગઝેટેડ અટલે ને નાના પદની જે પોસ્ટ ખાલી છે તેને ભરવા માટે રિટાયર્ડ કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પર કામમાં રાખવામાં આવી શકે છે.


અત્યાર સુધી નિયમ એ હતો કે કોઇ પણ રિટાયર્ડ કર્મચારી માત્ર તે પદ પરજ બીજી વાર કામ કરી શકતો હતો જે પદ પરથી તે રિટાયર્ડ થયો હોય. એટલે જે વેતન સ્તર પર રિટાર્યડ થયા છે તે વેતન સ્તરના પદ પર તેઓને ફરીથી રાખવામાં આવી શકતા હતા. હવે રેલવેએ આ નિયમમાં ઢીલ આપી છે.

શું છે નવો નિયમ

  • નિવૃત્ત કર્મચારીઓને પગાર સ્તર-1 થી પગાર સ્તર-9 સુધી ખાલી જગ્યાઓ પર ફરીથી નિયુક્ત કરી શકાય છે.
  • હવે નિવૃત્ત કર્મચારી તેની નિવૃત્તિ પોસ્ટથી ત્રણ સ્તર નીચેની પોસ્ટ પર પણ ફરીથી કામ કરવા માટે અરજી કરી શકે છે.
  • ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી પગાર સ્તર-6 થી નિવૃત્ત થયો હોય, તો તેને સ્તર-6, સ્તર-5, સ્તર-4 અને સ્તર-3 સુધીની પોસ્ટ્સ માટે પસંદ કરી શકાય છે.
  • રેલવેએ એ સ્પષ્ટ કર્યો છે કે આ પહેલા પ્રાથમિકતા એમને આપવામાં આવશે કે જેઓ તે સ્તરેથી જ રિટાયર્ડ થયા છે. જો તે લેવલનો વ્યક્તિ ઉપલબ્ધ નથી તો જ અન્ય લેવલના રિટાયર્ડ વ્યક્તિને મોકો મળશે.
  • રેલવે હેડક્વાટર્સની ભરતીનો નિર્ણય હાલ પણ જનરલ મેનેજર જ કરે છે. આખા રેલવે ઝોનમાં કેટલા રિટાયર્ડ કર્મીઓ ફરીથી રાખવામાં આવશે તેનો નિર્ણય પણ જનરલ મેનેજર જ કરશે.

ક્યારે કરાશે ભરતી  ?

  • આ નિમણૂક ફક્ત ત્યારે જ કરવામાં આવશે જ્યારે ખરેખર જરૂર હશે.
  • નિવૃત્ત કર્મચારીઓને સંપૂર્ણ તપાસ અને વિચાર-વિમર્શ પછી જ પાછા લેવામાં આવશે.
  • આ નવો નિયમ જાહેર થયાની તારીખથી અમલમાં આવશે.
  • આ આદેશ રેલ્વે બોર્ડની મંજૂરી અને નાણા વિભાગની સંમતિથી જાહેર કરવામાં આવ્યો છે.
  • રેલવેએ રિટાયર્ડ કર્મચારીઓને ફરીથી કામની તક આપીને સ્ટાફની કમી પુરી કરવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી રેલવેનું કામકાજ સરળ બનશે અને અનુભવી કર્મચારીઓને પણ એક મોકો મળશે. 

  • Follow us on: