CBSE તાજેતરમાં અનેક વિવાદોમાં ફસાયેલું છે અને આ બધા કેસ હવે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે. CBSE ની ત્રણ ભાષાની નીતિ પર સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ નવમા ધોરણમાં ત્રીજી ભાષા સામેલ કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે આ બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે બિનજરૂરી તણાવમાં વધારો કરે છે. મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી, જેમાં રાજ્ય સરકારને રાજ્યના દરેક જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય (JNV) ખોલવાને સમર્થન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
તમિલનાડુ સરકાર કરી રહી છે વિરોધ
તમિલનાડુ સરકાર સતત ત્રણ ભાષાની નીતિનો વિરોધ કરી રહી છે. આ જ કારણ છે કે નવોદય શાળાઓ પણ અહીં વિરોધનો સામનો કરી રહી છે, કારણ કે આ શાળાઓ 3 ભાષાની નીતિ લાગુ થાય છે. આ સમગ્ર કેસમાં 3 ભાષાની નીતિનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ ન્યાયાધીશ નાગરત્નાએ ત્રીજી ભાષા અંગે કડક ટિપ્પણી કરતા કહ્યું છે કે, ત્રીજી ભાષા ક્યારે શીખવવી જોઈએ. જસ્ટિસ નાગરત્ને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે આ નીતિ નવમા ધોરણથી નહીં પણ છઠ્ઠા ધોરણથી લાગુ થવી જોઈએ.
