નાસિક કામગીરી સાથે જોડાયેલા સંવેદનશીલ મામલા અંગે કડક કાર્યવાહી કરતા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે બાહ્ય નિષ્ણાતોને રોકવામાં આવ્યા છે. આ પહેલ હેઠળ, ડેલોઇટ અને ટ્રાઇલીગલને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે, જે સમગ્ર મામલાની તપાસ માટે સ્વતંત્ર કાનૂની સલાહકાર તરીકે સેવા આપે છે.
સમિતિની કરવામાં આવી રચના
કંપનીના સીઈઓ, કે. કૃતિવાસનના જણાવ્યા અનુસાર, કેકી મિસ્ત્રીની અધ્યક્ષતામાં એક ખાસ દેખરેખ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ તપાસ પ્રક્રિયાની સમીક્ષા કરશે અને યોગ્ય ફોલો-અપ કાર્યવાહી સુનિશ્ચિત કરશે, જેમાં કોઈપણ બેદરકારી કે પક્ષપાત માટે કોઈ જગ્યા રહેશે નહીં.
કંપનીને સત્તાવાર નથી મળી ફરિયાદ
ટીસીએસે ઘણા મુખ્ય મુદ્દાઓ પણ સ્પષ્ટ કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મામલાના સંદર્ભમાં જે કર્મચારીનું નામ સામે આવ્યું છે તે એચઆર મેનેજર નહોતો, કે તેણે કોઈ નેતૃત્વની ભૂમિકા ભજવી ન હતી. વધુમાં, કંપનીએ જણાવ્યું હતું કે તેનું નાસિક યુનિટ સંપૂર્ણપણે કાર્યરત છે, અને ત્યાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ છે.
પ્રારંભિક પૂછપરછના આધારે, કંપનીને હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી - પછી ભલે તે POSH (કાર્યસ્થળ પર જાતીય સતામણી નિવારણ) સંબંધિત હોય કે અન્ય કોઈ માધ્યમ દ્વારા પ્રાપ્ત થઈ હોય. જો કે, કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે તપાસ હજુ ચાલુ છે, અને અંતિમ નિષ્કર્ષ પર પહોંચવાનું બાકી છે. TCS એ પુનરોચ્ચાર કર્યો છે કે તે તેના કર્મચારીઓની સલામતી, ગૌરવ અને અધિકારોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને કોઈપણ પ્રકારની ઉત્પીડન સામે "શૂન્ય-સહિષ્ણુતા" નીતિ જાળવી રાખે છે.
TCS નાસિક કેસ શું છે ?
પોલીસ તપાસ મુજબ, એક મહિલા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેણીની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેના સાથીદાર, દાનિશ શેખે 2022 માં લગ્નના બહાને તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા, ભલે તે પહેલાથી જ પરિણીત હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, દાનિશ શેખની બહેન, નિદા ખાન પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અહેવાલો જણાવે છે કે નિદાએ ફરિયાદીના ધર્મ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અને તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ પણ કર્યું હતું.
વધુમાં એવો આરોપ છે કે નિદા ખાને એ હકીકત છુપાવી હતી કે દાનિશ પહેલાથી જ પરિણીત હતો. પોલીસ તપાસમાં સાત અન્ય મહિલાઓ પણ પ્રકાશમાં આવી છે જેમણે તેમના વરિષ્ઠ સાથીદારો પર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે લીધી નોંધ
નેશનલ કમિશન ફોર વુમન (NCW) એ આ મામલાની આપોઆપ (Suo Motu) નોંધ લીધી છે, અને તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ ટીમ 18 એપ્રિલ ના રોજ ઘટના સ્થળની મુલાકાત લેશે અને 10 કાર્યદિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે.