ઈન્ડિયન નેવીની તાકાત ખૂબ ઝડપથી વધવાની તૈયારીમાં છે. ભારતીય નૌસેનામાં એક એવું હથિયાર સામેલ થવાનું છે, જેની રેન્જ અને તાકાત જાણીને દુશ્મનનો ડરના માર્યા પરસેવો છૂટી જશે. રશિયા ભારતને અપગ્રેડેડ 'અકુલા ક્લાસ' પરમાણુ સબમરીન આપવા જઈ રહ્યું છે.
ભારતને 2028 સુધીમાં સબમરીન મળશે
ભારતીય નૌસેના માટે આ સબમરીન ખાસ તૈયાર કરવામાં આવી રહી છે. પહેલા આ સબમરીન 2025 સુધીમાં ભારતને પહોંચાડવાની હતી, પરંતુ હવે ડિલિવરી 2028 સુધી સ્થગિત રાખવામાં આવી છે. આ સોદો 2019 માં બંને દેશો વચ્ચે લગભગ $3 બિલિયનમાં થયો હતો. ભારતીય નૌકાદળમાં જોડાયા પછી, આ રશિયન સબમરીનનું નામ બદલીને INS ચક્ર-III રાખવામાં આવશે.
ડિલિવરીમાં થયેલા વિલંબની ભરપાઈ કરવા માટે, રશિયાએ લીઝ પર લીધેલી અપગ્રેડેડ સબમરીનને 3M14K (SS-N-304) ક્રુઝ મિસાઇલથી સજ્જ કરવાની ઓફર કરી છે. Akula કેટેગરીની આ સબમરીન દુનિયાની સૌથી અપગ્રેડેડ ન્યૂક્લર એનર્જીથી ચાલનારી સબમરીનમાંની એક છે.
ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
ટોરપીડો અને ક્રુઝ મિસાઈલ સહિત ઘણી મિસાઈલ આ સબમરીન સહિત અનેક મિસાઇલોથી સજ્જ છે જે સબમરીન વિરોધી યુદ્ધ, સપાટી વિરોધી યુદ્ધ અને લાંબા અંતરના હુમલા મિશન માટે ડિઝાઈન કરવામાં આવી છે. ભારત માટે હીન્દ પ્રશાંત ક્ષેત્રમાં પોતાની નૈસેના ઉપસ્થિતિને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે.
આ રશિયાની સબમરીનમાં સ્થાપિત કરવામાં આવી રહેલી 3M14K કાલિબ્ર મિસાઇલની રેન્જ 1,500 કિલોમીટર હશે. અગાઉ, ભારતની INS ચક્ર-II પાસે 3M54K મિસાઇલ હતી, જેની રેન્જ ફક્ત 600 કિલોમીટર સુધીની હતી.