CBI દ્વારા ટ્વીશા શર્મા મૃત્યુ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેસના સંબંધમાં ટ્વીશા શર્માની સાસુ ગિરિબાલા સિંહની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સી દ્વારા આ પગલું તપાસના આગળના તબક્કા તરીકે લેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ગિરિબાલા સિંહે અગાઉ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને જબલપુર હાઈકોર્ટ દ્વારા મોડી રાત્રે રદ કરવામાં આવી હતી. જામીન અરજી નામંજૂર થતાં જ CBI દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.













