દહેરાદુનમાં વાદળ ફાટવાથી પાણી ભરાઇ ગયા છે અને તબાહી મચાવી દીધી છે. પ્રસિદ્ધ પર્યટન સ્થળ સહસ્ત્રધારાએ કાર્લીઘાટમાં આફત આવી છે, જેના કારણે આજે 12 ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટપકેશ્વર મંદિર પરિસરમાં 2 ફૂટ કાટમાળ ફસાઇ ગયો છે. દુકાનો, મકાનો અન હોટલમાં ભારે નુકસાન થયુ છે. દહેરાદુન-હરિદ્વાર હાઇવે પર પુલ ધરાશાઇ થઇ ગયો છે. CM ધામીએ ટ્વીટ કરીને આફતની જાણકારી આપી છે.
વહેલી સવારે 5 વાગ્યે આવ્યો પૂરનો પ્રવાહ












