ઉત્તરાખંડના રુદ્રપુરમાં બારાવફાતના ધાર્મિક જુલૂસ દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં પોલીસે રામપુરના મૌલાના મુજીબની ધરપકડ કરી છે. બુધવારે યોજાયેલા જુલૂસ દરમિયાન હજારો લોકોની હાજરીમાં મૌલાનાએ ઉત્તરાખંડ સરકાર પર મદરેસા બંધ કરાવવાનો આરોપ લગાવીને કથિત રીતે ભડકાઉ નિવેદન આપ્યું હતું. ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો.
ઉત્તરાખંડ કોઈ પાકિસ્તાન નથી
વીડિયો સામે આવ્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉત્તરાખંડ કોઈ પાકિસ્તાન નથી. તેમણે કહ્યું કે ઉત્તરાખંડની ઓળખ દેવભૂમિ તરીકે રહી છે અને આગળ પણ રહેશે. CM ધામીએ કહ્યું કે દેશ અને રાજ્યમાં ધમકી અને તુષ્ટિકરણનો સમય હવે પૂરો થઈ ગયો છે. સરકાર ડેમોગ્રાફિક ચેન્જના મુદ્દે પણ મૌન નહીં રહે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંધારણ વિરુદ્ધ કામ કરનારા અથવા અશાંતિ ફેલાવનારા તત્વો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
