ચૂંટણી પંચે ગઈકાલે એટલે કે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે બંધારણ તરફથી એ અધિકાર અને કર્તવ્ય પ્રદાન કરવામાં આવ્યું છે કે તે મતદાર યાદીમાં કોઈને સામેલ કર્યા પહેલા તેની ભારતીય નાગરિકતાની તપાસ કરે, જેથી નક્કી થઈ શકે કે કોઈ વિદેશી અહીં મતદાન ના કરી શકે. SIRને લઈને દેશની સૌથી મોટી કોર્ટે સુનાવણી ચાલુ રાખી છે અને ગુરૂવારે આ મુદ્દે ચર્ચા થશે.


મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચની સામે સુનાવણી સામેલ થતાં ચૂંટણી પંચે સિનિયર એડવોકેટ રાકેશ દ્વિવેદી દ્વારા અરજીકર્તાઓને આ દાવાને રદ કરી દીધો છે કે નાગરિકતાનું નિર્ધારણ ચૂંટણી પંચના દાયરામાં આવતું નથી અને તેથી અલગ અલગ રાજ્યોમાં SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે ફક્ત આધાર વિગતો પૂરતી હશે.

મતદાર યાદીમાં સામેલ ના થાય કોઈ વિદેશી: ચૂંટણી પંચ

રાકેશ દ્વિવેદી બંધારણ સભાની ચર્ચાઓમાં મતદાર યાદીમાં સમાવેશ માટે મતદારોના "ભારતીય નાગરિકત્વના મૂલ્યાંકન"ના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો, તેમને કહ્યું કે બંધારણ નિર્માતાઓએ ચૂંટણી પંચને સ્પષ્ટ રીતે એ નક્કી કરવાનો આદેશ આપ્યો કે માત્ર ભારતીય નાગરિક જ મતદાર તરીકે રજિસ્ટર્ડ થઈ શકે. એ પુરી રીતે સ્પષ્ટ છે કે સ્થાપના સમયથી જ બંધારણ સભાનો ઈરાદો હતો કે મતદાર લિસ્ટને તૈયાર કરવા માટે જવાબદાર અધિકારી નાગરિકતાની તપાસ કરશે અને જે નાગરિક નથી, તેને મત ક્ષેત્રની મતદાર યાદીથી બહાર કરી દઈશું. ત્યારબાદ ચૂંટણી પંચને તમામ પ્રકારની ચૂંટણી પર નજર રાખવા, નિર્દેશન અને નિયંત્રણ માટે સંપૂર્ણ શક્તિઓ આપેલી છે. સાથે જ નાગરકિતાની સ્થિતિની પણ ચકાસણી કરવાની શક્તિ આપેલી છે.

SIR કર્યા વગર નિષ્પક્ષ ચૂંટણી સંભવ નથી: ચૂંટણી પંચ

ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું કે આપણું બંધારણ નાગરિક કેન્દ્રીત છે અને તેથી દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ અને ત્રણેય શાસન સંસ્થાઓના વડાઓ ભારતના નાગરિક હોવા જોઈએ. અમારો પ્રયત્ન એ સુનિશ્ચિત કરવાનો હોય છે કે એક પણ વિદેશી સામેલ ના થાય. SIR પ્રક્રિયાની કાયદેસરતા પર ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ચૂંટણી ત્યાં સુધી સ્વતંત્ર અને નિષ્પક્ષ ના કરાવી શકાય, જ્યા સુધી મતદાર યાદીને સમય સમય પર સંશોધિત ના કરવામાં આવે. પંચ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે બંધારણની કલમ 324 જે મતદાર યાદી સાથે જોડાયેલી તૈયારીઓને જોવા, નિર્દેશન અને નિયંત્રણની પરિકલ્પના કરે છે. તેમાં મતદાર યાદીને સંશોધિત કરવાનો પણ બંધારણીય આદેશ સામેલ છે.

કેન્દ્ર સરકારને જ નાગરિકતાની તપાસ કરવાનો અધિકાર

રિવિઝનની પ્રકિયા ચૂંટણી પંચના વિવેક અને હાલની સ્થિતિ પર નિર્ભર કરે છે. તેમને કહ્યું કે મતદાર યાદીના રિવિઝન દરમિયાન મતદારનું મોત કે જગ્યા બદલવાથી કે નવા મતદાર સામેલ કરવા માટે વિચાર કરવામાં આવશે. અરજીકર્તાએને આ દલીલનો જવાબ આપતા કહ્યું કે માત્ર કેન્દ્ર સરકારને જ નાગરિકતાની તપાસ કરવાનો અધિકાર છે. ચૂંટણી પંચે કહ્યું કે પંચની નાગરિકતા આંકલન કરવાની શક્તિ બંધારણની કલમ 324 અને 326થી મળે છે, જેને રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950ની કલમ 16ની સાથે વાંચવામાં આવે છે. ચૂંટણી પંચ કોઈ વ્યક્તિને દેશનો નાગરિક ના હોવા પરત તેને મતદાર યાદીમાંથી બહાર કરી શકે છે.

આ પણ વાંચો: ISRO 2026: ISROનું નવા વર્ષનું પહેલુ મિશન, EOS-N1 ઉપગ્રહ 12 જાન્યુઆરીએ કરશે લોન્ચ


  • Follow us on: