પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી સત્તા સંભાળનાર મમતા બેનર્જી અને તેમનો પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) કટોકટીનો સામનો કરી રહ્યા છે. નેતાઓ એક પછી એક TMC થી દૂર થઈ રહ્યા છે; . દિલ્હીમાં રાજ્યસભાના સાંસદોએ પણ પક્ષમાં બળવાનું બ્યુગલ વગાડ્યુ છે. ત્યારે હવે કલ્યાણ બેનર્જીનું વલણ મમતા બેનર્જી અને ટીએમસી માટે ફટકો સાબિત થઇ શકે છે. 


કેમ આકરાપાણીએ કલ્યાણ બેનર્જી ?  

કલ્યાણ બેનર્જી - જેમના માટે મમતા બેનર્જીએ તેમના લાંબા સમયના સહયોગી કાકોલી ઘોષને ચીફ વ્હિપ પદ પરથી દૂર કર્યા હતા. તેઓ  હવે પોતે બળવાખોર બની રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.  તેમણે મમતા બેનર્જીને અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ કાં તો અભિષેક બેનર્જીને પાર્ટીમાં રાખે કાંતો મને. 

કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને અભિષેક બેનર્જીને હટાવવાની માંગ કરી છે નહીં તો તેઓ  પાર્ટીમાં રહી શકશે નહીં. તેમણે અભિષેક બેનર્જી સાથે સંકળાયેલા બનાવટી કેસમાંથી ખસી જવાનો નિર્ણય પણ જાહેર કર્યો.  ટિપ્પણી કરી કે અભિષેકે ક્યારેય તેમના પર વિશ્વાસ કર્યો નથી અને ક્યારેય કરશે નહીં. કલ્યાણ બેનર્જીએ યાદ કર્યું કે જ્યારે તેઓ અભિષેકના કેસની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમને મધ્યરાત્રિએ જાણ કરવામાં આવી કે વકીલ બદલી નાખવામાં આવ્યો છે.                                                                                                                                                   

                                                                                                                               અભિષેક બેનર્જીને કારણે પાર્ટીને નુકસાન થયુ- કલ્યાણ બેનર્જી                                                                    

તેમણે આ ઘટનાને ખૂબ જ અપમાનજનક ગણાવી અને કહ્યું કે મારી સાથે કચરાપેટી જેવો વ્યવહાર કરવામાં આવ્યો.  તેમણે ઉમેર્યું કે અભિષેક બેનર્જીને વરિષ્ઠ લોકોનો આદર કેવી રીતે કરવો તે ખબર નથી. અભિષેકને ઘમંડી વ્યક્તિ ગણાવતા, કલ્યાણ બેનર્જીએ તીક્ષ્ણ સ્વરમાં પૂછ્યું, "તે કોણ છે?" તેમણે ભારપૂર્વક કહ્યું કે અભિષેક બેનર્જીના કારણે પાર્ટીને નુકસાન થયું છે. મમતા બેનર્જીને ટેકો આપતા, તેમણે ભારપૂર્વક કહ્યું કે 'દીદી'એ હવે નક્કી કરવું જોઈએ કે તે પાર્ટી અને વફાદાર નેતાઓ ઇચ્છે છે, કે 'બાળક' અને પરિવાર.


ટીએમસી થઇ રહી છે વેરવિખેર 

સાંસદ, ધારાસભ્યો અને નેતાઓ એક પછી એક મમતા બેનર્જી અને તેમના પક્ષથી અલગ થઈ રહ્યા છે. કલ્યાણ બેનર્જીએ બળવાખોર વલણ અપનાવ્યું તેના થોડા કલાકો પહેલા, મમતા બેનર્જીને બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો. પ્રથમ, પ્રકાશ ચિક બરૈકે રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું.  પ્રસૂન બેનર્જી - જે તાજેતરમાં સુધી મમતા બેનર્જીની સાથે ઉભા રહેતા હતા - તેમણે પણ બળવાખોર કાકોલી જૂથનો સાથ આપ્યો છે. પ્રસૂન બેનર્જીએ કાકોલી જૂથને લોકસભામાં એક અલગ જૂથ તરીકે માન્યતા આપવાની માંગ કરતા પત્ર પર હસ્તાક્ષર પણ કર્યા છે.


આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 

  • Follow us on: