- પૂર્વોત્તરના સાત રાજ્યમાં આરોગ્ય સુવિધાના 80 એકમોનો શિલાન્યાસ
- નાઇપર હૈદરાબાદ અને નાઇપર રાયબરેલીનો શિલાન્યાસ પણ કર્યો હતો
- નાઇપર સંશોધન, તાલીમ અને માનવશક્તિના સર્જનને સંકલિત કરશે
કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે આસામના ગુવાહાટીમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ્ ફર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર)ના કાયમી પરિસરનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. તેમણે નાઇપર હૈદરાબાદ અને નાઇપર રાયબરેલીનો શિલાન્યાસ પણ કર્યો હતો. પૂર્વોત્તરમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે ડૉ. માંડવિયાએ મિઝોરમનાં આઇઝોલમાં રિજનલ ઇન્સ્ટિટયૂટ ઑફ્ પેરામેડિકલ એન્ડ નર્સિંગ સાયન્સ (રિપાન્સ)માં પાંચ નવી સુવિધાઓ દેશને અર્પણ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી - આયુષ્માન ભારત સ્વાસ્થ્ય માળખાગત મિશન, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન (એનએચએમ) અંતર્ગત અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા સહિત પૂર્વોત્તરનાં 7 રાજ્યોમાં સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત માળખાગત સુવિધાઓનાં 80થી વધારે એકમોનો શિલાન્યાસ પણ કર્યો હતો. ત્રણ એનઆઇપીઇઆરના ઉદઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પોતાનો આનંદ વ્યક્ત કરતાં ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝન મુજબ એનઆઇપીઇઆર જ્ઞાન, શિક્ષણ, સંશોધન અને વ્યવસાયને જોડતો સેતુ બનીને ફર્માસ્યુટિકલ અને મેડટેક ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનાં માર્ગે અગ્રેસર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે*નાઈપર સમગ્ર દેશમાં ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં એક મોટું નામ બની ગયું છે, જેમાં લગભગ 8,000 વિદ્યાર્થીઓએ સ્નાતક થયા છે અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સફ્ળ થયા છે. નાઇપર પાસે પણ તેના નામે 380 થી વધુ પેટન્ટ નોંધાયેલા છે.
નાઇપર સંશોધન, તાલીમ અને માનવશક્તિના સર્જનને સંકલિત કરશે










