- બિહારની રાજધાની પટનાનામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે
- નીતિશ કુમારને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવશે- સૂત્ર
- આજે વિપક્ષને એકજૂથ કરવા વિપક્ષી દળોની સામાન્ય બેઠક યોજાઈ રહી છે
વિપક્ષી દળોની બેઠકમાં એવી અટકળો ચાલી રહી છે કે બિહારના સીએમ નીતિશ કુમારને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવશે. બિહારની રાજધાની પટનાનામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 2024ની સામાન્ય ચૂંટણી માટે બિહારની રાજધાની પટનામાં તમામ વિપક્ષી દળોની એક મહત્વપૂર્ણ રણનીતિક બેઠક યોજાઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2024માં વિપક્ષના નેતૃત્વને લઈને નીતિશ કુમારને વિપક્ષી એકતાના સંયોજક બનાવવાની વાત લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
બિહારના મુખ્યમંત્રી છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ભ્રમણ કરી રહ્યા છે, વિવિધ રાજ્યોમાં નેતાઓને મળ્યા છે. સિંગલ પોઈન્ટ એજન્ડા 2024માં પીએમ મોદીના રથને રોકવા માટે વિપક્ષને એકજૂથ કરવાનો છે. નીતીશ કુમારના મિશનનું શુક્રવારે (23 જૂન) પટનામાં પરીક્ષણ થવા જઈ રહ્યું છે. નીતીશ કુમારના આહ્વાન પર શુક્રવારે વિપક્ષી દળોની સામાન્ય બેઠક યોજાઈ રહી છે. નીતિશ કુમાર 8 વખત રાજ્યના સીએમ રહી ચૂક્યા છે અને તેમને એનડીએ સાથે ગઠબંધન કરવાનો ઘણો અનુભવ પણ છે, તેઓ કેન્દ્ર સરકારમાં રેલવે મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સાથે, તેઓ તમામ વિપક્ષી પાર્ટીઓમાં એક સાર્વત્રિક અને નિર્વિવાદ ચહેરો છે, જેમના પર પરીવારવાદ અને ભ્રષ્ટાચારના કોઈ આરોપ નથી.
કોંગ્રેસનું સમર્થન સ્વીકાર્ય નથી!
એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ પટનામાં એકત્ર થઈને વિપક્ષી એકતાની વાત કરી રહી છે તો બીજી તરફ આ માળખું પણ તૂટતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન તેલંગાણાના BRS પાર્ટીના નેતા ટીઆર રામારાવે કહ્યું, નીતીશ એક સારા નેતા છે પરંતુ અમે કોંગ્રેસ સાથે પ્લેટફોર્મ શેર કરવામાં સહજ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે બેઠકમાં હાજર હોય તેને અમે સ્વીકારી શકીએ નહીં. જ્યાં કોંગ્રેસ હાજર છે ત્યાં અમે બેઠકમાં રહી શકતા નથી.
ટીઆર રામારાવે કહ્યું કે, કોંગ્રેસે 50 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું અને તે દેશની હાલત માટે પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે, અમે કોઈપણ રીતે કોંગ્રેસ અને ભાજપ સાથે ન જઈ શકીએ. BRSએ કહ્યું કે, જો કોંગ્રેસ વગર ત્રીજો મોરચો બનાવવામાં આવશે તો અમે તેમાં ભાગ થઈશું, પરંતુ કોંગ્રેસનું સમર્થન સ્વીકાર્ય નથી.
અરવિંદ કેજરીવાલે પણ આપ્યું અલ્ટીમેટમ!
પટનામાં આયોજિત આ બેઠકમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ હાજર છે, પંજાબના સીએમ ભગવંત માન અને અન્ય નેતાઓ પણ હાજર છે. આ બેઠકમાં હાજરી આપતા પહેલા અરવિંદ કેજરીવાલે પત્ર લખીને વર્તમાન સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.
જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ બેઠકમાં ત્યારે જ હાજરી આપશે જ્યારે તેમને ખાતરી થશે કે કોંગ્રેસ તેમને દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને રદ્દ કરવામાં મદદ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે (23 જૂન) દિલ્હીમાં પટના જતા પહેલા આ શરત પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આમાં ખડગેએ કહ્યું હતું કે ગૃહમાં વટહુકમ આવશે, અને ગૃહની વસ્તુઓ ગૃહમાં થાય છે. અમે આ મામલે અમારી પ્રતિક્રિયા ગૃહમાં આપીશું કે કેજરીવાલ બહાર આટલો બધો પ્રચાર કેમ કરી રહ્યા છે.