- અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતા લોકસભામાં બોલ્યા ટીએમસી સાંસદ
- પીએમ મોદીએ આખરે ગૃહમાં કેમ નથી આવતા?: મહુઆ મોઇત્રા
- અમે ચુપ રહોની સંહિતાને તોડવા આવ્યા છીએ: ટીએમસી સાંસદ
મોદી સરકાર ગુરુવારે એટલે કે આજે પોતાના બીજા કાર્યકાળમાં પહેલા વિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. લોકસભામાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાઈ કહ્યું કે વડાપ્રધાન થોડા તમને બેસીને સાંભળ્યા કરશે? તેઓ છેલ્લા દિવસે આવશે અને તમારા ધજાગરા ઉડાવીને જશે.
તેમણે કહ્યું કે મને ખબર નથી પડતી કે પીએમ મોદી કેમ ગૃહમાં નથી આવતા, જેના માટે તેમને ચૂંટવામાં આવ્યા છે. આ સરકારના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ નથી. આ વિપક્ષી ગઠબંધન INDIA માટે વિશ્વાસ પ્રસ્તાવ છે.










