- રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએ હાલ વિવાદોમાં
- ગત વર્ષે સુબોધકુમાર સિંહને એનટીએના ડીજી તરીકે નિયુક્ત કરાયા હતા
- આઈએએસ સુબોધકુમાર સિંહ ઘણા જિલ્લાઓમાં કલેકટર તરીકે રહી ચુક્યા છે
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએ હાલ વિવાદોમાં છે. પહેલા નીટ યુજી પેપર લીકને લઈ અને હવે યુજીસી નેટ પરીક્ષા રદ્દ થયા પછી એનટીએની વિશ્વનીયતા પર ફરીથી સવાલ ઊભા થયા છે. યુજીસી નેટ અને નીટ યુઝી બંને પરીક્ષાનું આયોજન એનટીએની તરફથી કરવામાં આવ્યું હતું. હવે આ આખો મામલે કેન્દ્રીય સચિવ એનટીએના ડીઝી સુબોધ કુમારસિંહને બોલાવવામાં આવ્યા છે. જાણો તેમના વિશે.
ગત વર્ષે જૂન-2023માં સુબોધકુમાર સિંહને એનટીએના ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ આ પગ પર રહ્યા છે. આની પહેલા તેઓ કેન્દ્રી ખાદ્ય મંત્રાલયમાં એડિશન સેક્રેટરીના પદ પર કાર્યરત હતા. વર્ષ-1997ની બેચ છત્તીસગઢ કેડરના આઈએએસ અધિકારી સુબોધ કુમારસિંહ કાનપુર, ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેમના પિતા પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક હતા.
ભણતર ક્યાંથી પૂર્ણ કર્યું
તેમને દેશની ટોપ આઈઆઈટી રૂડકીથી ઈલેકટ્રીકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગનું ભણતર પૂર્ણ કર્યું છે. ત્યારબાજ તેઓ બ્રાંચથી માસ્ટર ઑફ એન્જિનિયરિંગ કર્યું. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી (ઈગ્નૂ)માંથી તેમને એનબીએ પણ પૂર્ણ કર્યું છે.
પોસ્ટિંગ ક્યાં હતી?
IAS તાલીમ પછી વર્ષ-2018માં તેમની પ્રથમ પોસ્ટિંગ મંડલા જિલ્લામાં સહાયક કલેક્ટર પદ પર હતી. આ પછી તેમને કોરિયાના SDO બનાવવામાં આવ્યા હતા. છત્તીસગઢ રાજ્યની રચના બાદ તેમને બસ્તર જિલ્લાના પ્રથમ જિલ્લા પંચાયત સીઈઓ બનાવવામાં આવ્યા હતા. આ પછી વર્ષ-2002માં તેઓ રાયગઢ ડીએમ તરીકે નિયુક્ત થયા. તેઓ રાયપુર અને બિલાસપુરના કલેક્ટર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેણે અન્ય ઘણી પોસ્ટ પર કામ કર્યું છે.
NET પરીક્ષા કેમ રદ કરવામાં આવી?
રાષ્ટ્રીય પરીક્ષા દ્વારા 18મી જૂનના રોજ યુજીસી નેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પેપરમાં ગેરરીતિના ડરથી શિક્ષણ મંત્રાલયે ગઈકાલે રાત્રે 19 જૂને પરીક્ષા રદ કરી હતી અને તપાસ સીબીઆઈને સોંપી હતી. તે જ સમયે, NEET UG પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા બે ઉમેદવારોએ પરીક્ષા પહેલા પેપર મેળવી લીધાની કબૂલાત કરી છે. NEET UG 2024ની પરીક્ષા NTA દ્વારા 5મી જૂને લેવામાં આવી હતી અને પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.










