• ASI દ્વારા હૉલ અને દીવાલોનું મેપિંગ કરવામાં આવ્યું

  • મુસ્લિમ પક્ષે મસ્જિદના તાળાં ખોલીને સહકાર આપ્યો
  • મસ્જિદની અંદર કમળ, ત્રિશૂળ, કળશ અને ખંડિત મૂર્તિઓ મળ્યાનો હિન્દુ પક્ષકારોનો દાવો

સુપ્રીમ કોર્ટનાં આદેશને પગલે શનિવારે બીજા દિવસે જ્ઞાનવાપી પરિસરમાં ASIની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરાઈ હતી. ASIનાં અધિકારીઓ દ્વારા મસ્જિદ અને ભોંયરામાં પણ સર્વે કરાયો હતો. મુસ્લિમ પક્ષકારો દ્વારા મસ્જિદના તાળાં ખોલીને સહકાર આપવામાં આવ્યો હતો. હિન્દુ પક્ષકારોએ દાવો કર્યો હતો કે મસ્જિદની અંદર કમળ, ત્રિશૂળ, કળશ અને ખંડિત મૂર્તિઓ મળી આવી હતી. ASI દ્વારા વજુખાના સિવાય મસ્જિદ અને ભોંયરાનો સર્વે કરાયો હતો. મુસ્લિમ પક્ષના વકીલ મુમતાઝ અહમદે કહ્યું હતું કે જ્યાં જ્યાં અમને કહેવામાં આવે છે ત્યાં ત્યાં અમે તાળાં ખોલી આપીએ છીએ. અમે ચાવી શા માટે આપીએ?

હૉલ અને દીવાલોનું મેપિંગ કરાયું

ASI ની ટીમ દ્વારા શનિવારે સવારે 9થી સાંજે 5 સુધી સર્વે કામગીરી કરાઈ હતીય વચ્ચે ભોજન માટે 2 કલાક સર્વેની કામગીરી રોકવામાં આવી હતી. ASI ની ટીમ સાથે હિન્દુ અને મુસ્લિમ પક્ષના એક એક વકીલ ભોંયરામાં ઊતર્યા હતા. સવારે 4 કલાકના સર્વેમાં જ્ઞાનવાપી હૉલ, ભોંયરું, પશ્ચિમની દીવાલ અને બહારની દીવાલ તેમજ મધ્યનાં હિસ્સાનું મેપિંગ કરાયું હતું.ઓળખ માટે ચોક્કસ નિશાનીઓ કરાઈ હતી.

ભોંયરામાંથી ખંડિત મૂર્તિ, ત્રિશૂળ, કળશ મળ્યા

ભોંયરામાંથી 4 ફૂટની ખંડિત મૂર્તિ મળી છે. તેને નૃસિંહ અવતારની મૂર્તિ માનવામાં આવે છે. ભોંયરામાંથી મંદિરનાં તૂટેલા થાંભલાના અવશેષો ત્રિશૂળ અને 4 ફૂટની મૂર્તિ સાથે પાંચ કળશ મળ્યા હોવાનો દાવો કરાયો છે. દીવાલ પર હાથીની સૂંઢની આકૃતિ, નક્શીકામ મળ્યું છે.


  • Follow us on: