ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાના મુરીદકે બેઝનો સમાવેશ થાય છે.


જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 26 નાગરિકોના હત્યાકાંડના બે અઠવાડિયા પછી ઓપરેશન સિંદૂર હેઠળ લશ્કરી હુમલાઓ કરવામાં આવ્યા હતા. આતંકવાદી ઠેકાણાઓ પરના આ હુમલાથી, ઘણા દિવસો પછી દેશે રાહતનો શ્વાસ લીધો છે.

આ દરમિયાન, કટિહારથી એક સુંદર તસવીર સામે આવી છે. અહીં, ભારતની કાર્યવાહીની પ્રશંસા કરતા, એક કપલે તેમની નવજાત પુત્રીનું નામ 'સિંદૂર' રાખ્યું. એ સ્પષ્ટ છે કે દેશની સાથે નવજાત બાળકનો પરિવાર પણ ખૂબ ખુશ છે.

26 નિર્દોષ લોકોના મોત બાદ ભારતે લીધો બદલો

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ ભારતે બદલો લીધો હતો. બુધવારે વહેલી સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાRલ હુમલા કર્યા, જેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનો ઠેકાણો સામેલ છે. આ હુમલાનું કોડનેમ 'ઓપરેશન સિંદૂર' હતું.

આતંકવાદીઓએ પહલગામ ફરવા આવેલા લોકોને બનાવ્યા નિશાન

હકીકતમાં, 22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ પહલગામ ફરવા આવેલા લોકોને નિશાન બનાવ્યા હતા. ત્યાં 26 લોકોની હત્યા કરી, જેના પછી આખો દેશ ગુસ્સે ભરાયો. જે લોકોએ પોતાના પતિ અને પુત્રો ગુમાવ્યા હતા તેઓએ ન્યાયની માગણી કરી હતી અને આજે આપણી સેનાએ તેમની ઈચ્છા પૂર્ણ કરી છે.

'ઓપરેશન સિંદૂર' નામ કેમ રાખવામાં આવ્યું?

સંરક્ષણ નિષ્ણાતોના મતે, પહલગામમાં આતંકવાદીઓએ થોડા દિવસો પહેલા લગ્ન કરનારા ઘણા લોકોની હત્યા કરી હતી. ભારતે આ મહિલાઓની આંખોમાં આંસુ જોયા હતા અને પછી તેમને પ્રતિજ્ઞા લીધી કે દરેક આંસુનો હિસાબ લેવામાં આવશે. તેમાં ગુરુગ્રામની હિમાંશી નરવાલ પણ હતી, જેના લગ્ન 16 એપ્રિલે થયા હતા. તે તેના પતિ લેફ્ટનન્ટ વિનય નરવાલ સાથે હનીમૂન માટે ગઈ હતી, પરંતુ આતંકવાદીઓએ વિનયની હત્યા કરી દીધી. તેવી જ રીતે, આતંકવાદીઓએ જયપુરની પ્રિયંકા શર્માને પણ પીડા આપી. પ્રિયંકા તેના પતિ રોહિત સાથે હનીમૂન ઉજવવા માટે પહલગામ ગઈ હતી. હુમલા દરમિયાન રોહિતને ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રિયંકા ઘાયલ થઈ હતી અને તેને શ્રીનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

  • Follow us on: