ભારતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઓકારા આર્મી કેન્ટોનમેન્ટ પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલો આજે સવારે કરવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ થઈ ગઈ છે. આ સમયે પાકિસ્તાનમાં આતંકનો માહોલ છે. ગઈકાલે અગાઉ પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.


BSF એ સાંબામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો

ગઈકાલે રાત્રે, BSF એ સાંબામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત ઘુસણખોરોને ઠાર મારવામાં આવ્યા. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું કહેવાય છે. ગઈકાલે રાત્રે, ભારતે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના હવાઈ હુમલાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા બાદ જૈશ-એ-મોહમ્મદના સાત આતંકવાદીઓને ઠાર માર્યા.

પાકિસ્તાની સૈન્યના પ્રયાસોને નિષ્ફળ

પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ભારતે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને અન્ય સ્થળોએ સૈન્ય સ્થાપનો પર હુમલો કરવાના પાકિસ્તાની સૈન્યના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

 ઓપરેશન સિંદૂર હેઠળ, તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યા

ભારતીય સેનાએ કહ્યું કે 8 અને 9 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાએ પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

સેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ, તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યા હતા અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતીય સરહદોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે અને કોઈપણ નાપાક ઈરાદાઓને સહન કરવામાં આવશે નહીં.

આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને ગુરુવારે જમ્મુ કાશ્મીરથી જેસલમેર સુધી ભારતના લગભગ 15 શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.

  • Follow us on: