દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો કબજો ધરાવતાં કાશ્મીરના લોકોએ ભારતમાં સામેલ થઇ જવું જોઇએ, આપણે તેમને પોતાના માનીએ છીએ. રાજનાથ સિંહે આ નિવેદન જમ્મુ અને કાશ્મીરના રામબનમાં આપ્યું હતું.


અંહી તેઓ ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર માટે મત માંગવા પહોંચ્યા હતાં. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે પાકિસ્તાન પીઓકેના નિવાસીઓને વિદેશી માને છે પણ ભારત તેમને પોતાના ગણે છે. જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370નું કમબેક નહીં થાય. તેમણે ઉમેર્યું હતું કે ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370 હટાવાઇ ત્યારથી કાશ્મીર ખીણમાં સુરક્ષાને લઇને મોટા બદલાવ થયાં છે. અંહીનો યુવાન પિસ્તોલ-રિવોલ્વરના સ્થાન પર લેપટોપ અને કોમ્પ્યુટર રાખવા લાગ્યો છે. પાછલા પાંચ વર્ષમાં અમે 40 હજાર નવી રોજગારીનું સર્જન કર્યું છે.

પાક. આતંકવાદ બંધ કરે તો વાટાઘાટો કરવા તૈયારી : સિંહ

રાજનાથે કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. મેં સાંભળ્યું કે ઉમર અબ્દુલ્લા કહે છે કે અફઝલ ગુરુને ફાંસીની સજા આપવી જોઇતી ન હતી. હું તેને પુછવા માંગુ છું કે શું અફઝલ ગુરુને માળા પહેરાવવાની હતી? તે પછી બેનિહાલ સીટ પરથી ભાજપના ઉમેદવારમોહમ્મદ સલિમ ભટના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ બંધ કરી દે તો ભારત તેની સાથે વાતચિત શરૂં કરવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપનારી કલમ 370ને લોકોની પરેશાની દુર કરવા તથા ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા હટાવાઈ છે.


  • Follow us on: