પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણય ભર્યા છે. ભારત સરકારે 5 મોટા અને કડક નિર્ણયો પાકિસ્તાન વિરૂદ્ધ લીધા છે, જે સ્પષ્ટ કરે છે કે હવે દેશ કોઈપણ કિંમતે આતંકવાદને સહન કરશે નહીં. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં આ નિર્ણયો વિશે માહિતી આપી છે.
ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી
- પહેલો નિર્ણય એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે. આ એક મોટું પગલું છે જે બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવરને પણ રોકી દેશે.
- બીજો નિર્ણય એ છે કે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ હવે બંધ રહેશે. આને રાજદ્વારી સંબંધોમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
- આ સાથે, ભારતે ત્રીજું કડક પગલું ભર્યું છે અને સિંધુ જળ સંધિ પણ અટકાવી દીધી છે. આનાથી પાકિસ્તાન પર મોટાપાયે અસર પડશે.
- ચોથો નિર્ણય એ છે કે ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- પાંચમો અને મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે હવે પાકિસ્તાનીઓને ભારતીય વિઝા નહીં મળે.









