• હાજીપુર બેઠક પર પારસ અને પાસવાન કરી ચુક્યા છે દાવો

  • NDAમાં ભેળવો, હું પાર્ટીમાં સામેલ નહી કરું: પશુપતિ પારસ
  • હાજીપુર બેઠકને લઈને થઇ ગઈ છે વાત: ચિરાગ પાસવાન

હાજીપુર સાંસદ અને RLJP પ્રમુખ પશુપતિ કુમાર પારસે કહ્યું છે કે તેઓ ચિરાગ પાસવાનની સાથે નહી રહે, કારણ કે જયારે ડીલ તૂટે છે તો ફરી નથી જોડાતું. પારસે કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે તો ચિરાગ પાસવાનને NDAમાં સામેલ કરી શકે છે.

પશુપતિ કુમાર પારસે કહ્યું, "મેં એવું નથી કહ્યું કે ચિરાગ પાસવાને બધાની સામે આ વાત કહી છે કે અમારા લોહીમાં ફરક છે. અમે ક્યારેય સાથે નહીં આવી શકીએ. પાર્ટી તૂટે તો જોડાય પણ દિલ તૂટી જાય તો જોડાતો નથી. મેં ભાજપને કહ્યું છે કે જો તમે ઇચ્છો તો ચિરાગ પાસવાનને એનડીએ ગઠબંધનમાં સામેલ કરી શકો છો, પરંતુ હું ચિરાગ પાસવાનને પાર્ટીમાં ભેળવીશ નહીં, દિલમાં ભેળવીશ નહીં.

હાજીપુર બેઠક પર થઇ હતી કાકા-ભત્રીજાની ટક્કર

વાસ્તવમાં હાજીપુર બેઠકને લઈને કાકા-ભત્રીજા સામસામે આવી ગયા હતા. જો કે, જ્યારે ચિરાગે એનડીએની બેઠકમાં કાકા પશુપતિના પગને સ્પર્શ કર્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે કાકા અને ભત્રીજા વચ્ચેનો ખટરાગ ખતમ થઇ ગયો છે.

પશુપતિ પારસે કરી હતી હાજીપુરથી ચૂંટણી લડવાની જાહેરાત

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પશુપતિ પારસે હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડીશ. મારા ઉપરાંત અહીંથી કોઈ ચૂંટણી નહી લડે.

ચિરાગ પાસવાને પણ કર્યો હતો બેઠક પર દાવો

ત્યારબાદ, ચિરાગ પાસવાને હાજીપુર બેઠક પર પોતાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે હું આ બેઠક પર દાવો કરી રહ્યો છું કારણ કે મેં ગઠબંધનમાં જોડાતા પહેલા આ અંગે વાત કરી હતી. જો હું આજે આવું બોલી રહ્યો છું તો ગઠબંધને મને અધિકાર આપ્યો છે. જણાવી દઈએ કે હાજીપુરને પાર્ટીની પરંપરાગત સીટ માનવામાં આવે છે. જણાવી દઈએ કે દિવંગત નેતા રામવિલાસ પાસવાન હાજીપુર પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા. તેમણે 1977માં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને આ બેઠક પર ઝંપલાવ્યું હતું.


  • Follow us on: