• પાસપોર્ટને લગતી કામગીરી માટે જોવી પડશે રાહ
  • 5 દિવસ સુધી પાસપોર્ટ પોર્ટલ બંધ
  • નવો પાસપોર્ટ બનાવડાવા જોવી પડશે રાહ 

વિદેશ જવા માગો છો ?? પાસપોર્ટની બધી કામગીરી પૂર્ણ કરવા માગો છો. તો હાલ તમારી ઉતાવળ કામે નહી આવે. કારણ કે દેશભરમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ 29મી ઓગસ્ટે રાત્રે 8 વાગ્યાથી 2જી સપ્ટેમ્બરની સવાર સુધી બંધ રહેશે. હવે એમ થાય કે જે લોકોએ અગાઉથી જ તારીખ મેળવી લીધી છે તો આવા લોકોએ પણ અન્ય તારીખ માટે રિશેડ્યુલ કરવું પડશે.

જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ પાસપોર્ટ માટે અરજી કરી છે અને તેને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની વચ્ચેની ડેટ મળી છે તો તેણે કોઈ અન્ય તારીખ માટે ફરીથી શેડ્યૂલ કરવું પડશે.

પોર્ટલ કેમ બંધ કરવામાં આવ્યું?

પાસપોર્ટ વિભાગે માહિતી આપી હતી કે ટેકનિકલ મેન્ટેનન્સના કારણે પોર્ટલ પર પાંચ દિવસ સુધી બંધ રહેશે. પરિણામે પાસપોર્ટને લગતુ કોઇ કામ થશે નહી. પાસપોર્ટ સેવા કેન્દ્ર સિવાય પણ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસનું કામ પણ બંધ રહેશે. તેમજ અરજદારોનું પોલીસ વેરિફિકેશન અને વિદેશ મંત્રાલયની કામગીરી પણ પ્રભાવિત થશે. પાસપોર્ટ વિભાગના અધિકારીએ માહિતી આપી હતી કે આવા અરજદારો જેમણે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી હોય તેઓ તેમની એપોઇન્ટમેન્ટ બીજી તારીખ માટે ફરીથી શેડ્યૂલ કરી શકશે.


ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે?

  • ભારતમાં ત્રણ પ્રકારના પાસપોર્ટ છે
  • બ્લુકવર પાસપોર્ટ: આ એક સામાન્ય પાસપોર્ટ છે. દેશનો કોઈપણ નાગરિક તેનો ઉપયોગ કરી શકે છે.
  • મરૂન કવર પાસપોર્ટઃ આ એક રાજદ્વારી પાસપોર્ટ છે. આ પાસપોર્ટ ભારત સરકારના અધિકૃત રાજદ્વારીઓ ઉપયોગ કરી શકે છે. સરકારી હોદ્દા ધરાવતા સભ્યોને આ પાસપોર્ટ આપવામાં આવે છે.
  • ગ્રેકવર પાસપોર્ટ: આ એક સત્તાવાર પાસપોર્ટ છે. તે વિદેશમાં કામ કરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે.

  • Follow us on: