• રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમને મોટી રાહત આપી
  • પેટીએમ પેમેન્ટ બેન્ક પરના નિયંત્રણો 15 માર્ચ સુધી નહીં લાગું થાય
  • કેન્દ્રીય બેંકે આ FAQ દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક સંબંધિત માહિતી આપી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમને મોટી રાહત આપી છે અને તેને 15 દિવસનો વધારાનો સમય આપ્યો છે. RBIએ પેટીએમને 15 માર્ચ સુધીનું 15 દિવસનું એક્સટેન્શન આપ્યું છે. આરબીઆઈની રાહત બાદ હવે પેટીએમ પેમેન્ટ બેંક પર લાગેલા નિયંત્રણો 15 માર્ચ સુધી રોકી દેવામાં આવ્યા છે.

RBIએ લીધો નિર્ણય

બેંક (PPBL) દ્વારા ગ્રાહકો અને રેગ્યુલેટરી ઓથોરિટીની ચિંતા વ્યક્ત કર્યા બાદ RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. "15 માર્ચ, 2024 (ફેબ્રુઆરી 29, 2024 ની પૂર્વ-નિર્ધારિત સમયમર્યાદાથી વિસ્તૃત) પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ સાધનો, વૉલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરેમાં વધુ જમા કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નહીં થાય," આરબીઆઈએ જણાવ્યું હતું. અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે, કોઈપણ વ્યાજ, કેશબેક, સ્વીપ ઇન અથવા ભાગીદાર બેંકો તરફથી રિફંડ વગેરે કોઈપણ સમયે જમા કરી શકાય છે."

અગાઉ લગાવ્યો હતો પ્રતિબંધ

સેન્ટ્રલ બેંકે 31 જાન્યુઆરીએ નિર્દેશ આપ્યો હતો કે તે 29 ફેબ્રુઆરી, 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, વોલેટ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવાનું બંધ કરે. આરબીઆઈએ કહ્યું હતું કે એક વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સના વેરિફિકેશન રિપોર્ટમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડના માર્ગદર્શિકાઓનું પાલન ન થવાનો સંકેત મળ્યો છે. જે બાદ સેન્ટ્રલ બેંક દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. RBI એ શુક્રવારે, ફેબ્રુઆરી 16, 2024 ના રોજ Paytm કટોકટીથી સંબંધિત FAQ બહાર પાડ્યા હતા.

  • Follow us on: