• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી

  • પીએમ મોદીએ ટ્વિટર પર વીડિયો શેર કરીને ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને નમન કર્યા
  • 24 માર્ચ 1931ના રોજ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી

દેશના ઈતિહાસમાં 23 માર્ચની તારીખે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાયેલી છે પરંતુ ભગત સિંહ અને તેમના સાથી રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવી એ ભારતના ઈતિહાસમાં નોંધાયેલી આ દિવસની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઘટના છે. ક્રાંતિકારી ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931માં ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ફાંસી આપવામાં આવી હતી. આ દિવસને ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

[[$googlead]]

[[$alsoread]]

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી હતી. ટ્વિટર પર એક વીડિયો શેર કરીને પીએમ મોદીએ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને નમન કર્યા. વીડિયોની સાથે પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ભારત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને હંમેશા યાદ રાખશે. તેઓ એવા મહાન વ્યક્તિ છે જેમણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને સાથે જોડાયેલા કિસ્સાઓ..

તમને જણાવી દઈએ કે, 24 માર્ચ 1931ના રોજ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ભગત સિંહ આ નિર્ણયથી ખુશ ન હતા. તેમણે 20માર્ચ 1931ના રોજ પંજાબના ગવર્નરને પત્ર લખ્યો હતો કે તેમની સાથે યુદ્ધ કેદીની જેમ વ્યવહાર કરવામાં આવે અને તેમને ફાંસી આપવાને બદલે ગોળી મારી દેવામાં આવે.

22 માર્ચ 1931ના રોજ પોતાના ક્રાંતિકારી સાથીઓને લખેલા છેલ્લા પત્રમાં ભગતે કહ્યું હતું કે, "મને પણ જીવવાની ઈચ્છા છે, હું આ છુપાવવા માંગતો નથી." ફાંસીમાંથી બચવાનો લોભ મારા હૃદયમાં ક્યારેય પ્રવેશ્યો ન હતો. હું અંતિમ પરીક્ષાની રાહ જોઈ રહ્યો છું."ફાંસી આપવાના નિર્ધારિત સમયના 12 કલાક પહેલા 23 માર્ચ 1931ના રોજ સાંજે 7.33 વાગ્યે ભગત, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાને આજે 92 વર્ષ પૂર્ણ થયા છે.


  • Follow us on: