• સિંધિયા સ્કૂલની 125મી સ્થાપના માટે ગ્વાલિયર આવશે પીએમ

  • ગ્વાલિયર મુલાકાતને લઈને સિંધિયાએ માન્યો પીએમ મોદીનો આભાર
  • પીએમ મોદી સૌથી આધુનિક શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થાય છે જેને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામોના વખાણ કર્યા હતા.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહત્વનું નિવેદન આપતા પીએમ મોદીની શિક્ષણ નીતિના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના છેલ્લા 9 વર્ષના કાર્યકાળમાં દેશમાં શિક્ષણની સ્થિતિને ધરમૂળથી બદલી કાઢી છે.

[[$googlead]]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે શું પીએમ મોદીનો આભારી છું કે તેમણે અમારા સિંધિયા સ્કૂલની 125મી સ્થાપના માટે પોતાના વ્યસ્ત કાર્યક્રમ માટે સામે કાઢ્યો. અમે ભાગ્યશાળી છીએ કે પીએમ મોદી આવી રહ્યા છે.

[[$alsoread]]

સિંધિયાએ વધુમાં જણાવ્યું કે પીએમ મોદી દેશના શિક્ષણના ક્ષેત્રને સંપૂર્ણરીતે બદલી દીધું છે. 30 વર્ષથી શિક્ષણ નીતિમાં કોઈ ફેરફાર નહોતો થયો. તેમણે સૌથી આધુનિક શિક્ષણ નીતિમાં ફેરફાર કર્યો.

તેમણે વધુમાં જણાવ્યું કે પીએમ મોદીની દ્રષ્ટિ અને વિચારધારા હંમેશા રહી છે કે ભારતના યુવાનો અને દીકરીઓ ભારતને એક વિશ્વગુરુ તરીકે પરિવર્તિત કરશે. મને વિશ્વાસ છે કે દેશના યુવાનો દેશના વિકાસ માટે પોતાની ભાગીદારી આપશે.


  • Follow us on: