• પ્રથમ તબક્કાનું મતદાન લઇ PM મોદીએ ભાજપના ઉમેદવારોને લખ્યો પત્ર
  • PM મોદીનો પત્ર મળ્યા બાદ ઉમેદવારોમાં વિશેષ ખુશી જોવા મળી
  • "તમારો દરેક મત 2047 સુધીમાં મજબૂત સરકાર અને વિકાસલક્ષી વેગ માટે"

રામનવમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો છે. વડાપ્રધાન મોદીનો પત્ર મળ્યા બાદ ઉમેદવારોમાં વિશેષ ખુશી જોવા મળી રહી છે. તેમણે લખ્યું છે- તમારો દરેક મત 2047 સુધીમાં મજબૂત સરકાર બનાવવા અને ભારતના વિકાસના પ્રયાસોને વેગ આપશે.

પ્રથમ તબક્કાનું મતદાન લઇ PM મોદીએ ભાજપના ઉમેદવારોને લખ્યો પત્ર

પ્રથમ તબક્કાનું મતદાન શુક્રવારે એટલે કે 19મી એપ્રિલે થવાનું છે. લોકસભાની 102 બેઠકો પર મતદાનનો પ્રચાર બુધવારે સમાપ્ત થયો. ખાસ વાત એ છે કે આ દિવસે રામનવમી હતી. આ દિવસે, રામ નવમીની સવારે, પીએમ મોદીએ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા તમામ ભાજપ અને એનડીએ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો છે. પીએમ મોદીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પત્ર એવી રીતે લખવામાં આવ્યો છે કે તેનો સંદેશ મતવિસ્તારના દરેક લોકો સુધી પહોંચી શકે.

વડાપ્રધાન મોદીનું આ સૌથી અનોખું અભિયાન છે. PMનું ધ્યાન પ્રાદેશિક ભાષાઓમાં પણ આ પત્ર પહોંચાડવા પર છે. PMનો આ પત્ર મળ્યા બાદ ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમણે પીએમ મોદીનો પત્ર તેમના વિસ્તારના દરેક મતદાતા સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે.

PM મોદીએ પત્રમાં શું આપ્યો સંદેશ?

વડાપ્રધાનના પત્રમાં લખ્યું હતું કે, રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમને આ પત્ર લખતી વખતે, હું આશા રાખું છું કે તમે સારું કરી રહ્યાં છો. ભાજપના સમર્પિત કાર્યકર તરીકે મેં તમને હંમેશા સખત મહેનત કરતા જોયા છે. મને વિશ્વાસ છે કે તમે સંસદમાં લોકોના સંપૂર્ણ આશીર્વાદ લાવશો અને નવી સરકારમાં અમે બધા સાથે મળીને દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશે.

PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, હું તમારા લોકસભા મતવિસ્તારના મતદારો અને કાર્યકરોને નમ્રતા સાથે કહેવા માંગુ છું કે આ ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણી આપણા વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની સુવર્ણ તક છે. આ વખતે, અમને મળેલો દરેક મત મજબૂત સરકાર બનાવવા અને વર્ષ 2047 સુધીમાં ભારતનો વિકાસ કરવાના અમારા પ્રયાસોને વેગ આપશે.

19 એપ્રિલે ક્યાં ચૂંટણી યોજાશે?

આગામી લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કો 19 એપ્રિલે મધ્ય પ્રદેશ અને દેશના 21 રાજ્યોની કુલ 102 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. જે રાજ્યોમાં મતદાન થવાનું છે તેમાં આસામ, બિહાર, મણિપુર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, MP, નાગાલેન્ડ, રાજસ્થાન, તમિલનાડુનો સમાવેશ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, લક્ષદ્વીપ અને જમ્મુ-કાશ્મીરમાં પણ 19મીએ મતદાન થવાનું છે.

  • Follow us on: