• લોકસભાની ચૂંટણીને લઇને પુરજોશમાં પ્રચાર
  • પીએમ મોદી પંજાબમાં પહોંચ્યા પ્રચાર કરવા
  • ગુરુદાસપુરમાં પીએમ મોદી સંબોધી રહ્યા છે જનસભા

લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી હિમાચલ બાદ પંજાબ પહોંચ્યા છે. પીએમ મોદીએ પંજાબના ગુરુદાસપુરમાં જનસભા સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું પંજાબનો વિકાસ મોદીની પ્રાથમિકતા છે. 

સોગંધ મુજે ઇસ મિટ્ટી કી..

[[$googlead]]

પીએમ મોદીએ સભા સંબોધતા કહ્યું કે મારુ સૌભાગ્ય રહ્યું છે પંજાબની ધરતી પર લાંબા સમય સુધી કામ કર્યુ. આ ધરતીએ મને શીખવાડ્યુ છે કે સોગંધ મુજે ઇસ મિટ્ટી કે દેશ નહી મિટને દૂંઆ, મે દેશ નહી ઝૂકને દૂંગા, મે દેશ નહી રુકને દૂંગા. પીએમ મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા રહ્યું કે શેહજાદે વિદેશમાં જઇને દેશને બદનામ કરે છે. તેઓ કહે છે ભારત કોઇ રાષ્ટ્ર નથી. શહેજાદાના ઉસ્તાદ કહી રહ્યા છે કે રામમંદિરના નિર્માણથી, હિંદુસ્તાનમાં રામનવમી ઉજવવાથી ભારતની ઓળખ પર ખતરો ઉભો થાય છે. 

[[$alsoread]]

પાકિસ્તાન મામલે કોંગ્રેસ પર પ્રહાર 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે  ઇન્ડિ.ગઠબંધન વાળા દેશની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રસનો એજન્ડા શું છે? કે કાશ્મીરમાં ફરીથી 370 કલમ લાગુ કરવાની વાત કરે છે. તેઓને ફરીથી કાશ્મીરમાં આતંકવાદીઓ જોઇએ છે. તેઓને ફરીથી કાશ્મીરને અલગાવવાદીઓને સોંપવું છે. આ લોકો ફરીથી પાકિસ્તાનને મિત્રતાનો સંદેશ મોકલશે. પાકિસ્તાનને ગુલાબના ફુલ મોકલશે અને પાકિસ્તાન બોમ્બ બ્લાસ્ટ કરતુ રહેશે. આતંકી હુમલા કરતુ રહેશે. કોંગ્રેસ કહેશે કે કંઇ પણ થાય વાતચીત તો કરવી જ પડશે. એટલે કોંગ્રેસે અત્યારથી જ માહોલ બનાવવાનું શરૂ કરી દીધુ છે. તેમના નેતા કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ઇન્ડિ ગઠબંધન વાળા પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે આ નવુ ભારત છે ઘરમાં ઘુસીને મારશે. 


  • Follow us on: